નવાબ મલિકની કારણદર્શક નોટિસ પાછી ખેંચવાની હાઈ કોર્ટમાં વિનંતી

HM News
1 Min Read

– જ્ઞાાનદેવ વાનખેડે માનહાનિ પ્રકરણ

મુંબઈ : એનસીબીના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર અને અઈઆરએસ અધિકારી સમીર વાનખેડેના પિતા જ્ઞાાનદેવ વાનખેડેએ કરેલી બદનક્ષીની અરજીમાં જારી કરાયેલી કારણદર્શક નોટિસનો જવાબ એનસીપી નેતા નવાબ મલિકે સોમવારે નોંધાવ્યો છે.અરજીમાં દાવો કરાયો હતો કે ડિસેમ્બરમાં કોર્ટમાં બાંયધરી આપવા છતાં પણ મલિકે વાનખેડે પરિવારની બદનામી ચાલુ રાખી છે.

વાનખેડેએ કોર્ટમાં રજૂ કરેલી ટ્રાન્સસ્ક્રિપ્ટમાં ખોટા સુધારા વધારા હોવાનો મલિકે આરોપ કર્યો છે.તેમણે દાવો કર્યો છે કે સમીરનું નામ ઉમેરવામાં આવ્યું છે જેથી દાવો કરી શકાય કે પોતે આપેલી ખાતરીનો ભંગ કરાયો છે.કોર્ટે આઠ ફેબુ્રઆરીએ મલિકને નોટિસ મોકલાવીને તેમની સામે અવમાનની કાર્યવાહી કેમ ન થાય એવો ખુલાસો માગ્યો હતો.૨૧ ફેબુ્રઆરીએ જવાબ આપવા જણાવ્યું હતું.

સોમવારે કોર્ટમાં મલિક હાજર રહ્યા હતા.તેમણે કારણદર્શક નોટિસ પાછી ખેંચવાની વિનંતી કરી હતી. માનહાનિની અરજીને હાથ ધરવામાં કોર્ટે તિ કરી છે અને ખોટા સાહિત્યને આધારે પોતાને નોટિસ મોકલાવી છે.સમીરના કથિત ખોટા જાતી પ્રમાણપત્ર સંબંધે સમીક્ષા સમિતિ સમક્ષની સુનાવણી થવાની હોવાનો માત્ર ઉલ્લેખ કર્યો હતો.આ નિવેદનમાં કોર્ટને આપેલી બાંયધરીનો ભંગ કરવાનો કોઈ ઈરાદો નહોતો,એમ સોગંદનામામાં જણાવ્યું હતું.

કોર્ટે વાનખેડેને એક સપ્તાહમાં પ્રતિ ઉત્તર આપવા જણાવીને સુનાવણી મોકૂફ રાખી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *