રાજ્યમાં ભાજપ ના નવા મુખ્યમંત્રી સહિત આખું મંત્રી મંડળ બદલાયા બાદ નવું માળખું ટાર્ગેટ સાથે કામ કરશે તેમ મનાય છે.અને નવા બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને આગામી 15 દિવસ સુધી ગાંધીનગર નહી છોડવા સૂચના આપવા સાથે જેતે મંત્રીઓને વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી કામો વેગવંતા બનાવવા પણ સૂચના આપી દેવામાં આવી છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હવે કડક બન્યા છે અને તમામ મંત્રીઓને સરકારી કામ સિવાય કોઈ પ્રવાસ ન કરવા માટે પણ તાકીદ કરી આદેશનું પાલન કરવા કડક સૂચના આપી છે.આ તમામ મંત્રીઓને આગામી બજેટના કામો માટે આગોતરી તૈયારીઓ માટે પણ કહી દેવામાં આવ્યુ છે.
આગામી 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ દરમ્યાન ભાજપ દ્વારા મોટાભાગની સીટો કબ્જે કરવા નવું માળખું સજ્જ બન્યું છે અને નવ નિયુક્તમંત્રીઓના
શિરે મહત્વની જવાબદારી સોંપવામાં આવતા હવે તમામ
મંત્રી મંડળને 100 ટકા પર્ફોમન્સ આપવા રાતદિવસ કામે લાગવા સૂચનાઓ આપી દેવાતાં કામકાજ જોર થી શરૂ થયા છે અને જેતે વિભાગો માં અધિકારીઓ માં પણ દોડધામ જોવા મળી રહી છે.આમ નવા સીએમ પણ જાતેજ કામો માં જોતરાઈ ગયા છે અને ખુબજ ઓછા સમયમાં રિઝલ્ટ બતાવવા માટે કસોટીમાંથી પાર
ઉતરવા તમામ મંત્રીઓને પણ કામે લગાડી દેતા ધમધમાટ જોવા મળી રહયો છે.