By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નવ રાજયો – કેન્દ્રશાસિત પ્રદેશોમાં હિંદુઓ છે લઘુમતિ : અધિકારો કેમ નથી મળતા? હાઇકોર્ટે જવાબ માંગ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નવ રાજયો – કેન્દ્રશાસિત પ્રદેશોમાં હિંદુઓ છે લઘુમતિ : અધિકારો કેમ નથી મળતા? હાઇકોર્ટે જવાબ માંગ્યો
GeneralNational

નવ રાજયો – કેન્દ્રશાસિત પ્રદેશોમાં હિંદુઓ છે લઘુમતિ : અધિકારો કેમ નથી મળતા? હાઇકોર્ટે જવાબ માંગ્યો

HM News
Last updated: 29/02/2020 10:38 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી તા. ર૯: દિલ્હી હાઇકોર્ટે ગઇકાલે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે કે જયાં હિન્દુઓ લઘુમતિ છે ત્યાં તે લઘુમતિના અધિકારોથી વંચિત છે કે કેમ? ભાજપા  નેતા અશ્વિની ઉપાધ્યાયની અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે ગૃહ, કાયદો અને ન્યાય અને લઘુમતિ બાબતોના મંત્રાલય પાસેથી આ બાબતે જવાબ માગ્યો છે. અરજીમાં  કહેવાયું અકિલા છે કે નવ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હિન્દુઓ લઘુમતિ હોવા છતાં તેમને લઘુમતિ સમાજને અપાયેલા અધિકારોથી કેમ વંચિત  રખાય છે. આ રાજયોની વધુમતિ વસ્તી લઘુમતિના બધા લાભ લે છે. ભાજપા નેતાએ અરજીમાં અકીલા કહ્યું છે કે લદ્દાખ, મિઝોરમ, લક્ષદ્વીપ, કાશ્મીર, નાગાલેન્ડ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, પંજાબ અને મણીપુરમાં હિંદુ વસ્તીને પણ આ લાભ મળવા જોઇએ. ચીફ જસ્ટીસ ડી એન. પટેલ અને જસ્ટીસ સી હરિશંકરની બેંચે  અરજી પર પોતાનો પક્ષ રજૂ કરવાની સાથે સાથે કેન્દ્રને લઘુમતિ શબ્દને વ્યાખ્યાયીત કરવા અને રાજય સ્તરે તેમની ઓળખ માટે ગાઇડલાઇન તૈયાર કરવા માટે કહ્યું છે. ભાજપા નેતાએ અરજીમાં આ માગણી માટે એક તર્ક પણ રજૂ કર્યો છે. તેમણે કહ્યું છે કે રાષ્ટ્રીય કક્ષાએ હિંદુ ભલે બહુમતિમાં છે પણ નવ  રાજયો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તે લઘુમતિ છે, એટલે તેમને લઘુમતિનો દરજજો મળવો જોઇએ. કોઇ રાજયમાં લઘુમતિ છે કે નહીં તે નકકી કરવા માટે તે સમુદાયની  વસ્તીને ધ્યાનમાં રાખવી જોઇએ. આના માટે કોર્ટ રાજયોને નિયમ બનાવવાનો આદેશ આપે તેમણે અરજીમાં કોર્ટને રાષ્ટ્રીય લઘુમતિ પંચ કાયદા ૧૯૯રની કલમ ર (સી) ને ગેરબંધારણીય જાહેર કરવા બાબતે વિચાર કરવા કહ્યું છે હવે આ કેસની આગામી સુનાવણી ૪ મે એ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા સુપ્રિમ કોર્ટે આ અરજી પર સુનાવણીની ના પાડીને બીજેપી નેતાને હાઇકોર્ટમાં જવા કહ્યું હતું.

યસ બેન્કમાં SBI વધુ રૂ.1760 કરોડનું રોકાણ કરશે
સ્વીટી પટેલ મર્ડર કેસ : DNA મેચ કરવા અમેરિકાથી ખાસ કીટ મંગાવાઈ
હાઈકોર્ટે દોષી જાહેર કરેલ રેપના આરોપીને સુપ્રીમે નિર્દોષ ઠેરવ્યો
આવતીકાલે દિલ્હીમાં ટ્રમ્પ સાથે યોજાનાર ડિનર પાર્ટી માટે સોનિયા-મનમોહનની બાદબાકી
CBI દ્વારા પૂર્વ નાણા સચિવ અરવિંદ માયારામના સ્થળો પર સર્ચ, જાણો શું છે આરોપ
Share This Article
Facebook Email Print
Previous Article દિલ્હી તોફાનોને લઈને મોદી-શાહ વચ્ચે મતભેદો !
Next Article અંકિત શર્માના પોસ્ટમોર્ટમ-રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ, ઓળખ છુપાવવા ચહેરા પર એસિડ નખાયો હતો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up