નાઇજીરિયાના ચર્ચમાં હુમલો : 50ના મોત

HM News
1 Min Read

નવી િદલ્હી : નાઈજીરિયાના ઓવો શહેરમાં સેન્ટ ફ્રાન્સિસ ચર્ચમાં રવિવારે ગોળીબાર થયો હતો.પબ્લિક રીપ્રેઝન્ટેટિવ એડેલેગબે ટિમિલેને જણાવ્યું હતું કે આ ઘટનામાં 50થી વધુ લોકોના મોત થયાના તેમજ ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે.મૃત્યુઆંક હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી.કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક હથિયારધારી લોકો ચર્ચમાં ઘૂસી ગયા હતા અને આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો.આ ઘટના સ્થાનિક સમય મુજબ લગભગ 11:30 વાગ્યે(ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યે)બની હતી.આ હુમલો કોણે અને શા માટે કર્યો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી.ઘટના સમયે ત્યાં પ્રાર્થના ચાલી રહી હતી.પબ્લિક રીપ્રેઝન્ટેટિવ એડેલેગબે ટિમિલેને જણાવ્યું હતું કે હુમલાખોરોએ પ્રાર્થના કરી રહેલા એક વ્યક્તિનું અપહરણ કર્યું હતું.ગવર્નર રોટીમી અકેરેડોલુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.નાઈજીરિયાના રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીએ કહ્યું હતું કે નફરતી વિચારધારા ધરાવનારાઓએ આવું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે અને નિર્દોષોના જીવ લીધા છે.આવા નફરતી લોકો સામે દેશ ક્યારેય ઝૂકશે નહીં અને તેમની સામે વિજય પ્રાપ્ત કરીને બતાવશે.તેમની સામ આકરા પગલા લેવાશે.ધારાસભ્ય ઓલુવોલેએ કહ્યું હતું કે ઓવોના ઈતિહાસમાં આ પહેલા ક્યારેય આવી ઘટના બની નથી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *