By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નાગાલેન્ડ : પૂર્વોત્તરમાંથી AFSPA કાયદો હટાવવામાં આવશે! ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મોટું નિવેદન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નાગાલેન્ડ : પૂર્વોત્તરમાંથી AFSPA કાયદો હટાવવામાં આવશે! ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મોટું નિવેદન
GeneralNational

નાગાલેન્ડ : પૂર્વોત્તરમાંથી AFSPA કાયદો હટાવવામાં આવશે! ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મોટું નિવેદન

HM News
Last updated: 21/02/2023 3:40 PM
HM News
2 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.21 ફેબ્રુઆરી-2023, મંગળવાર : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક જાહેર સભા દરમિયાન કહ્યું કે નાગા શાંતિ સમજૂતી માટે વાતચીત ચાલી રહી છે.તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરાયેલું કામ ટૂંક સમયમાં ફળ આપશે.ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે તેમને આશા છે કે AFSPA કાયદો સમગ્ર પૂર્વોત્તર ભારતમાંથી ટૂંક સમયમાં હટાવી લેવામાં આવશે.તમને જણાવી દઈએ કે પૂર્વોત્તર રાજ્યોમાં લાંબા સમયથી AFSPA કાયદાને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે અને તે એક મોટો રાજકીય મુદ્દો છે.

મંગળવારે નાગાલેન્ડના તુએનસાંગ વિસ્તારમાં એક જાહેર સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે પૂર્વી નાગાલેન્ડમાં વિકાસ સંબંધિત કેટલાક મુદ્દાઓ છે,જે આગામી વિધાનસભા ચૂંટણી પછી ઉકેલવામાં આવશે.તેમણે કહ્યું કે નાગા શાંતિ સમજૂતી પર વાતચીત ચાલી રહી છે અને તેમને આશા છે કે વડાપ્રધાન મોદી દ્વારા લેવામાં આવેલી પહેલ ઉત્તર પૂર્વમાં શાંતિ લાવી શકે છે.ઉત્તર પૂર્વમાં આતંકવાદના મુદ્દા પર વાત કરતા અમિત શાહે કહ્યું કે ભાજપના શાસનમાં હિંસાની ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે.

ગૃહમંત્રીએ કહ્યું કે પૂર્વોત્તર રાજ્યોમાં સુરક્ષા દળોના મૃત્યુની સંખ્યામાં 60 ટકાનો ઘટાડો થયો છે.તે જ સમયે, સામાન્ય નાગરિકોના મૃત્યુના કેસમાં 83 ટકાનો ઘટાડો થયો છે.અમિત શાહે કહ્યું કે ભાજપ સરકાર દ્વારા નાગાલેન્ડના મોટા ભાગોમાંથી AFSPA હટાવી દેવામાં આવી છે.તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી ત્રણથી ચાર વર્ષમાં સમગ્ર ઉત્તર ભારતમાંથી AFSPA હટાવી લેવામાં આવશે.તમને જણાવી દઈએ કે નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાવાની છે.અને 2 માર્ચે ચૂંટણીના પરિણામો જાહેર થશે.

આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) એક સૈન્ય કાયદો છે.આ કાયદા હેઠળ સુરક્ષા દળો અને સેનાને ઘણા વિશેષ અધિકારો મળે છે.આમાં વોરંટ વિના શંકાસ્પદની ધરપકડ કરવાનો અને ચેતવણી પછી પણ કાયદાનો ભંગ કરવા બદલ આરોપીની હત્યા ન થાય ત્યાં સુધી બળનો ઉપયોગ કરવાનો અધિકાર શામેલ છે.આ કાયદો અશાંત અને આતંકવાદ પ્રભાવિત વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યો છે.આ કાયદો છેલ્લા ઘણા સમયથી પૂર્વોત્તરના રાજ્યોમાં અમલમાં છે.તેને હટાવવાની માંગ જૂની છે.હવે અમિત શાહના તાજા નિવેદનથી નોર્થ ઈસ્ટના લોકોની આ ઈચ્છા જલ્દી પૂરી થઈ શકે છે.

ચાઇનાની આડોડાઇ અને દાદાગીરીના લીધે ગુજરાતના SEA FOOD એક્સપોર્ટરોના કરોડો રૂપિયા ફસાયા
પતિને સ્કૂલની પેરેન્ટ-ટીચર મીટિંગમાં જતા રોકવાની પત્નીની અરજી હાઇકોર્ટે ફગાવી
કોરોના સંકટ સમયે કેન્યા પણ ભારતની વ્હારે :12 ટન ખાદ્ય વસ્તુઓનું કર્યું દાન
સંઘર્ષ : ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈ માટેના ક્યા કારણો છે જવાબદાર, આ રહ્યો ટૂંકમાં જવાબ
ઉત્તરપ્રદેશ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના તમામ 8 ઉમેદવારો જીત્યા, અખિલેશ યાદવને સૌથી મોટો ઝટકો
Share This Article
Facebook Email Print
Previous Article સંજય રાઉતનો દાવો : મારા જીવને ખતરો, નેતા પર લગાવ્યો ‘સોપારી’ આપવાનો આરોપ
Next Article આત્મહત્યાના કેસ વધતા ગૃહવિભાગે તણાવમાં રહેતા પોલીસકર્મીઓની યાદી મંગાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up