વલસાડ, 03 જૂન : વાવાઝોડાને લય ઉમરગામ તાલુકાનાં કાંઠા વિસ્તારના 12 જેટલા ગામોમાં દરિયા કિનારે નજીક રહેતા રહીશોને સુરક્ષા માટે સેલ્ટર હોમ ખાતે સ્થળાંતર કરવાની કામગીરી તંત્ર દ્વારા બોપોરે શરૂઆત કરી હતી.સરકારની સૂચના પ્રમાણે નારગોલ નવાતળાવ જગદંબા ધામ ખાતે ભંડારી સમાજ હોલ,બારિયા સમાજ હોલ,રાધેશ્યામ મંદિર હોલ માછીવાડ,તાતા વાડિયા સ્કૂલના હોલને સેલ્ટર હોમ જાહેર કરી નારગોલ તાતાવાડિયા સ્કૂલ તેમજ જગદંબાધામ ખાતે મળી નારગોલ ગામના કુલ 80 જેટલા લોકોને સેલ્ટર હોમમાં સ્થળાંતર કરાયા છે.જેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.