વલસાડ,15 જુલાઈ : ઉમરગામ નારગોલ ગામે છેલ્લા 50 વર્ષ થી ચાલી આવતી દેના બેન્ક બેન્ક ઓફ બરોડા સાથે મર્જ થયા બાદ કોઈ પણ સક્ષમ કારણો વિના તકલાદી નિર્ણય સાથે 10 કિલોમીટર દૂર ખતલવાડા ગામે આવેલ દેના બેન્ક (બી.ઓ.બી) સાખા સાથે એકત્રી કરણ કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ નિર્ણય સામે સ્થાનિક સેક્ડો ખાતેદારોએ સહી સાથે જિલ્લા કલેક્ટર,બેન્કની વડી કચેરી સહિત સંબંધિત વિભાગને લેખિત આવેદન સરપંચ કાંતિલાલ કોટવાલની આગેવાની હેઠળ આપ્યુ હતું.મંગળવારે પંચાયત કચેરી ખાતે વિશેષ બેઠકમાં સરપંચ કાંતિલાલ કોટવાલ ભાજપ તાલુકા પ્રમુખ મુકેશ પટેલ, ભંડારી સમાજના પ્રમુખ,નારગોલ ગામ સહિત આજુ બાજુ ગામના આગેવાનો,ખેડૂતો,માછીમારો,શક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓની હાજરીમાં ભાજપે બેન્કની શાખાને બચાવવાના અભયાનને સમર્થન આપ્યુ હતું.જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઇએ પણ ટેલિફોનિક રીતે નારગોલની જનતાને સમર્થન જાહેર કરી ઘટતું કરવાની ખાત્રી આપી હતી.