By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નારાયણ સાઈ સામેના કેસમાં સુરતની કોર્ટે શું કર્યો મોટો હુકમ ? જાણો વિગત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > નારાયણ સાઈ સામેના કેસમાં સુરતની કોર્ટે શું કર્યો મોટો હુકમ ? જાણો વિગત
GeneralSurat

નારાયણ સાઈ સામેના કેસમાં સુરતની કોર્ટે શું કર્યો મોટો હુકમ ? જાણો વિગત

HM News
Last updated: 23/10/2020 6:41 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત : સાધિકા પર બળાત્કારના કેસમાં જેલબેગા થયેલા નારાયણ સાંઈ તથા અન્યો વિરૂધ્ધ સુરત ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલા રૂપિયા 13 કરોડની લાંચનો કેસ અમદાવાદ ગ્રામ્યની ખાસ અદાલતમાં ટ્રાન્સફર કરવા કોર્ટે આદેશ કર્યો છે.આ માગમી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કરાઈ હતી.આ માગણી એસીબીની ખાસ અદાલતના એડીશનલ સેશન્સ જજ ડી.પી.ગોહીલે મંજૂર રાખતાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટની જોગવાઈ મુજબ સુરત ડીસીબી પોલીસમાં નોંધાયેલા તથા એસીબી કોર્ટમાં ચાલતા કેસો હવે અમદાવાદ ગ્રામ્યની પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલશે.

નારાયણ સાંઈ સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાધિકા બળાત્કાર કેસની તપાસ સાથે સંકળાયેલી વિવિધ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓને રૂપિયા 13 કરોડની લાંચ આપવાની ગોઠવણ કરાઈ હોવાની વાતનો પર્દાફાશ સુરત ક્રાઈમ બ્રાંચે કર્યો હતો.
આરોપી નારાયણ સાંઈના ઈશારે સુરત ક્રાઈમ બ્રાંચના તત્કાલીન પીએસઆઈ ચંદુ મોહન કુંભાણી,સાધક કૌશિક પોપટલાલ વાણી,બિલ્ડર કેતન પટેલ તથા અન્ય સાત જેટલા આરોપીઓ વિરૂધ્ધ 13 કરોડની લાંચનો વધુ એક ગુનો દાખલ થયો હતો.આ પૈકી 8.10 કરોડની લાંચની રકમ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવી હતી.અમદાવાદ સ્થિત આસારામના આશ્રમમાંથી મિલકત સંબંધી દસ્તાવેજી પુરાવાના 42 પોટલામાંથી ખોટા બિન ઉપયોગી દસ્તાવેજી પોટલા રજુ કરી આરોપીને બચાવવા ઉપરાંત તપાસ ઢીલી કરવાનો કારસો રચવામાં આવ્યો હતો.

સુરત સ્થિત ઈ.ડી.ના આસિસ્ટન્ટ ડાયરેકટર દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટની કલમ-44 મુજબ સુરત ક્રાઈમ બ્રાંચમાં મુખ્ય આરોપી નારાયણ સાંઈ સહિત અન્ય આરોપીઓ વિરુધ્ધ નોંધાયેલા લાંચના કેસોને અમદાવાદની ડેઝીગ્નેટેડ કોર્ટમાં ટ્રાન્સફર કરવા અરજી કરાઈ હતી.

સેન્ટ્રલ ઝોનમાં કમિશ્નરની વિઝીટ પહેલા દબાણ હટાવાયા, ગયા બાદ ત્યાંના ત્યાં
બ્રિટનમાં કોરોનાનો બેકાબૂ સ્ટ્રેઇન મળતાં હાહાકાર
જેને મન અમેરિકાનું હિત સર્વોપરી હોય એ ભારતને શું આપશે….? ધૂળ….?
આસામમાં જીત સાથે જ ભાજપમાં ડખા શરૂ, આ નેતાએ સીએમ બનવાની જીદ પકડી, અમિત શાહને કર્યો ફોન
ભારતના કુલભૂષણ જાધવને ગમે તે ભોગે ફાંસી આપવા માટે પાકિસ્તાન તલપાપડ
Share This Article
Facebook Email Print
Previous Article તાહિર હુસૈનની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી, દિલ્હીનાં હિંસક તોફાનોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી
Next Article સુશાંત સિંહ રાજપૂત કેસમાં BJP સાંસદ એ લખ્યો PM મોદીને પત્ર, કહી આ વાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up