By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નીતિન પટેલ સાથે ભાજપના ટોચના નેતાઓએ અનેક વખત અન્યાય કર્યો છે: નરેશ રાવલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > નીતિન પટેલ સાથે ભાજપના ટોચના નેતાઓએ અનેક વખત અન્યાય કર્યો છે: નરેશ રાવલ
GeneralNorth GujaratPolitics

નીતિન પટેલ સાથે ભાજપના ટોચના નેતાઓએ અનેક વખત અન્યાય કર્યો છે: નરેશ રાવલ

HM News
Last updated: 21/09/2021 7:59 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાતના રાજકારણમાં રાજકીય સમીકરણો બદલાયા છે. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી બન્યા છે.તો સાથે ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની રચના થઈ ગઈ છે અને તમામ મંત્રીઓને તેમના ખાતાઓ ફાળવી દેવામાં આવ્યા છે. હવે મંત્રીઓ તેમની જવાબદારી સંભાળી રહ્યા છે.તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણીની તૈયારીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જનસંપર્ક શરૂ કરવામાં આવ્યો છે.આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના યાત્રા દ્વારા લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે.તો કોંગ્રેસ દ્વારા કોવિડ 19 ન્યાય યાત્રા દ્વારા લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે.ત્યારે મહેસાણામાં સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ 19 ન્યાય યાત્રાને લઈને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કોન્ફરન્સમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.ત્યારે ગુજરાત કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.નરેશ રાવલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને પણ નિવેદન આપ્યું હતું.નરેશ રાવલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ નીતિનભાઈ સાથે અન્યાય કરી રહ્યા છે.

કોવિડ 19 ન્યાય યાત્રા દ્વારા કોંગ્રેસના કાર્યકર્તા, નેતા અને અગ્રણીઓ મહેસાણાના અલગ-અલગ ગામડાઓમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારના સભ્યોને મળીને સાંત્વના આપી રહ્યા છે.કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારના સભ્યોને સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે તેવી માગણી સાથે કોંગ્રેસ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

કોવિડ 19 ન્યાય યાત્રા બાબતે કોંગ્રેસના અગ્રણી નરેશ રાવલે કહ્યું હતું કે, 16 ઓગસ્ટથી ન્યાય યાત્રા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.તેમાં છેલ્લા બે અઠવાડિયામાં ખૂબ જ વધુ આંકડા બહાર આવ્યા છે.સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના 8000 ફોર્મ કોંગ્રેસની પાસે આવ્યા છે.સૌરાષ્ટ્રમાં 11000 અને મધ્ય ગુજરાતમાં 5000 જેટલા મૃતકોના ફોર્મ કોંગ્રેસની પાસે આવ્યા છે.તો દક્ષિણ ઝોનમાંથી 8000 જેટલા ફોર્મ ભરાયા છે.તેમણે નીતિન પટેલ બાબતે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ ભાજપના વરિષ્ઠ નેતા છે અને એમની સાથે ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓએ એક વાર નહીં પરંતુ અનેકવાર અન્યાય કર્યો છે.

ગુજરાત બજેટ 2022-23: સહકારી ક્ષેત્ર માટે અંદાજપત્રમાં થઈ મહત્વની જાહેરાતો
હનુમાન જન્મોત્સવ શોભાયાત્રા : રૂરકીમાં પથ્થરમારો, દૂનમાં ઝપાઝપી; કેસ નોંધાયા બાદ પોલીસ કાર્યવાહી શરૂ
કોરોનાનો બીજો માર! રીટેઈલ-હોલસેલ વેપારને 46000 કરોડનું નુકશાન
રાજ ઠાકરેએ કાર્યકરોને સુધરાઈની ચૂંટણીમાં પક્ષની જીત માટે કામ કરવા કહ્યું
રાજકોટ પાણી પુરવઠા વિભાગનો કાર્યપાલક ઇજનેર 25 હજારની લાંચ લેતા ઝડપાયો
Share This Article
Facebook Email Print
Previous Article મહંત નરેન્દ્ર ગિરિની આવતી કાલે સમાધિ, CM યોગી અંતિમ દર્શન કરતા થયા ભાવુક
Next Article લો આ રહી ગુજરાતના નવા કેબિનેટ મંત્રીઓની ક્રાઈમ કુંડળી : મારામારી ,શાંતિભંગ અને ચેક બાઉન્સના નોંધ્યા છે ગુના !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
en Englishgu ગુજરાતીhi हिन्दी
gu ગુજરાતી
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up