સંતોએ ઇસ્લામિક કટ્ટરપંથીઓની હિંસા વિરુદ્ધ 16 ઠરાવ પસાર કર્યા હતા.સંતોએ એક અવાજે કહ્યું હતું કે તાલિબાની માનસિકતાને ભારતમાં કોઈપણ રીતે ફેલાવવા દેવામાં આવશે નહીં.નૂપુર શર્માની રક્ષા કરશે 18લાખ નાગા-સાધુઓ,પાતાળ પુરી મઠના વડા મહંત બાલક દાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.વાયરલ વીડિયોમાં તેઓ કહેતા સાંભળી શકાય છે કે જો ઈસ્લામવાદીઓ બીજેપી પ્રવક્તા નુપુર શર્માને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તો સાધુ સમાજ શાંત નહીં બેસે.તેમણે કહ્યું કે અમારી દીકરીને બળાત્કારની ધમકી આપવામાં આવી રહી છે,નૂપુર શર્માની રક્ષા કરશે 18લાખ નાગા-સાધુઓ અને સંતો રસ્તા પર ઉતરશે.
આ વીડિયો 11 જૂને કાશીમાં યોજાયેલી ધર્મ પરિષદનો છે.વારાણસીમાં હર તીરથની સુદામ કુટી ખાતે ધર્મ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.બેઠકની અધ્યક્ષતા પાતાલપુરી મઠના પ્રમુખ મહંત બાલક દાસે કરી હતી.આ મેળાવડામાં કાશીના અનેક મઠો,પીઠ અને અખાડાઓના અગ્રણી પૂજારીઓ અને ધાર્મિક નેતાઓ તેમજ અન્ય ઘણા હિંદુ સંતોએ હાજરી આપી હતી.આ દરમિયાન મહંત બાલક દાસે પત્રકારો સાથે વાત કરતા કહ્યું, “દિવસે દિવસે અરાજકતા વધી રહી છે.લોકોએ હદ વટાવી દીધી છે. ભગવાન શિવની મજાક ઉડાવવામાં આવી રહી છે.શિવલિંગને ફુવારો કહેવામાં આવી રહ્યો છે.આ પછી પણ સનાતન ધર્મના લોકો શાંતિથી બેઠા છે.તેણે આગળ કહ્યું, “હદ થઈ ગઈ, ભગવાન શિવ પર અપમાનજનક ટિપ્પણી સાંભળીને ભારતની એક પુત્રીએ તે જ કહ્યું જે તેના કુરાનમાં લખેલું છે. બધા સનાતની લોકો શાંતિથી વર્તી રહ્યા છે,છતાં આ મૌલવીઓ મસ્જિદોમાંથી લોકોને બોલાવી રહ્યા છે કે તેઓ આવીને પથ્થરમારો કરે અને અરાજકતા ફેલાવે.”
મહંત બાલક દાસે કહ્યું કે જો બધું ખોટું થશે તો નાગા સાધુઓ નુપુર શર્માના બચાવમાં રસ્તા પર ઉતરશે.તેણે કહ્યું, “આજે અમારી દીકરીને બળાત્કારની ધમકી આપવામાં આવી રહી છે.જો તેને કંઈ થઈ જશે તો આ ઋષિ સંત સમાજ શાંત નહીં બેસે એ વાતનું ધ્યાન રાખજો. 18 લાખ નાગા સાધુઓ રસ્તા પર આવશે,આખો સંત સમાજ પણ રસ્તા પર આવશે અને પછી તમે એ દ્રશ્યની કલ્પના પણ નહીં કરી શકો.
ભૂતકાળમાં સંતોએ ઇસ્લામિક કટ્ટરપંથીઓની હિંસા વિરુદ્ધ 16 ઠરાવ પસાર કર્યા હતા.સંતોએ એક અવાજે કહ્યું હતું કે તાલિબાની માનસિકતાને ભારતમાં કોઈપણ રીતે ફેલાવવા દેવામાં આવશે નહીં.ધર્મ પરિષદમાં નુપુર શર્માને બળાત્કાર અને હત્યાની ધમકી આપવા વાળાઓને જેલમાં મોકલવાની પણ માંગ કરવામાં આવી હતી.
મહંત બાલક દાસે કહ્યું હતું કે, “કાશીમાં આવી કોઈ ઘટના ન બને તે માટે શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે.પરંતુ વિચારવા જેવી વાત છે કે શુક્રવારની નમાજમાં એવું શું શીખવવામાં આવે છે કે લોકો ત્યાંથી નીકળતાની સાથે જ એટલો ગુસ્સે થઈ જાય છે. 15-16 વર્ષના ઉન્માદી છોકરાઓ પથ્થરમારો કરી રહ્યા છે.”
કોણ છે નાગા સાધુ
નાગા સાધુઓ ભગવાન શિવના પરમ ભક્ત છે,જેઓ હિમાલયમાં રહે છે.આદિગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત વિવિધ અખાડાઓમાં રહેતા આવા સાધુઓ તમામ ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરે છે,નાગા સાધુઓ વસ્ત્રો નો પણ ત્યાગ કરીને નગ્ન અવસ્થામાં જ રહે છે અને ધૂણીની રાખ શરીર પર ચોળીને રાખે છે.કુંભ મેળામાં તેઓ શાહી સ્નાન માટે ભેગા થાય છે.

