By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નૂહમાં સરકારના બુલડોઝર પર હાઇકોર્ટની બ્રેક, ગુરૂગ્રામમાં ફરી હિંસા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નૂહમાં સરકારના બુલડોઝર પર હાઇકોર્ટની બ્રેક, ગુરૂગ્રામમાં ફરી હિંસા
GeneralNational

નૂહમાં સરકારના બુલડોઝર પર હાઇકોર્ટની બ્રેક, ગુરૂગ્રામમાં ફરી હિંસા

HM News
Last updated: 08/08/2023 4:08 AM
HM News
2 years ago
Share
SHARE

ગુરૂગ્રામ : હરિયાણાના નૂહમાં હિંસાને કારણે છ લોકોએ જીવ ગુમાવ્યો છે.હિંસાની ઘટનાઓ બાદ પ્રશાસન દ્વારા ૬૦૦ જેટલી ગેરકાયદે ઇમારતો તોડી પાડવામાં આવી હતી.એવામાં સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા બુલડોઝર પર હાઇકોર્ટે બ્રેક લગાવી દીધી છે.હરિયાણા-પંજાબ હાઇકોર્ટે ડિમોલિશન ડ્રાઇવની સુઓમોટો દ્વારા નોંધ લીધી હતી અને હાલ તોડફોડ રોકવાના આદેશ આપ્યા હતા.જેને પગલે હાલ હરિયાણા સરકારની આ ડિમોલિશન ડ્રાઇવને અટકાવી દેવામાં આવી છે.

બીજી તરફ એવા અહેવાલો સામે આવ્યા છે કે હરિયાણામાં થયેલી હિંસામાં સામેલ આરોપીઓ પાડોશી રાજ્યો ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભાગી ગયા છે.આશરે ૧૫૦ જેટલા આરોપીઓ આ રાજ્યોમાં છુપાયા હોવાથી પોલીસ ટીમો રવાના કરાઇ છે જે તેમની શોધખોળ કરી રહી છે.આમાંથી કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.આ આરોપીઓને પકડવાની જવાબદારી હરિયાણા પોલીસની એસટીએફને સોપવામાં આવી છે.તેથી સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમોને આ બન્ને રાજ્યોમાં રવાના કરવામાં આવી છે.આ આરોપીઓને પકડીને હરિયાણા લાવવામાં આવશે.

નૂહ અને ગુરૂગ્રામની હિંસામાં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુની ધરપકડ કરવામાં આવી છે.જોકે હિંસાની નાની મોટી ઘટનાઓ હજુ પણ યથાવત છે.પોલીસને મળેલી એક ફરિયાદમાં દાવો કરાયો છે કે હિંસાખોરોએ ગુરૂગ્રામમાં હિન્દુ અને મુસ્લિમોના પ્રતિક તરીકે ઓળખાતી એક મજારમાં તોડફોડ કરી છે અને મજારમાં કેટલાક પ્રાર્થના માટેના કાગળોને પણ સળગાવી દેવાયા છે.આ મજારમાં હિન્દુઓ અને મુસ્લિમો બન્ને જતા હતા અને પ્રાર્થના કરતા હતા.મજારની દેખરેખ રાખતા ઘસિટે રામે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આશરે ૧૦ જેટલા યુવકોનું ટોળુ મજારમાં ઘૂસ્યુ હતું અને આગ લગાવવાનું શરૂ કરી દીધુ હતું.મજારની આસપાસના લોકોએ આગ લાગી હોવાની જાણકારી આપી હતી.હાલમાં આગને કાબુ કરી લેવામાં આવી છે.જ્યારે સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે આરોપીઓની શોધખોળ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસ સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ પર પણ નજર રાખી રહી છે. ૧૫ મિનિટ માટે પોલીસ હટાવી લો પછી જોવો શું થાય છે તેવી ભડકાઉ પોસ્ટ બદલ પોલીસે ૧૪ લોકોની ધરપકડ કરી છે.ઉત્તર પ્રદેશના સમ્ભલ જિલ્લાના રહેવાસી યુવક દ્વારા આ પોસ્ટ ફેસબુક પર કરવામાં આવી હતી.પોસ્ટને પગલે બન્ને સમુદાયના લોકો વચ્ચે તકરાર થઇ હતી,સ્થાનિકોએ પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરતા બન્ને સમુદાયના મળીને કુલ ૧૪ લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.જેમાં મુખ્ય આરોપી જુનૈદનો પણ સમાવેશ થાય છે.

સુબીર તાલુકાના કર્મચારીઓનો નવી પેન્સન યોજના ને લઈ અનોખો વિરોધ
વૃદ્ધ મુસલમાનને માર મારવાના વિડીયો પર વિવાદ, સ્વરા ભાસ્કર અને ટ્વિટર ઇન્ડિયાના MD વિરુદ્ધ ફરિયાદ
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છ ઑગસ્ટે, જરૂર પડી તો તે જ દિવસે થશે કાઉન્ટિંગ
સબૂતો સાથે છેડછાડ? ધરપકડ બાદ ઝુબૈરે 101 ટ્વિટ ડિલીટ કર્યાં! ઑલ્ટ ન્યૂઝને 24 કલાકમાં મળ્યા હતા 1 કરોડ
કોરોનાના કેર સામે વેપાર-ઉદ્યોગને ચેતનવંતા રાખવા RBIની ‘સંજીવની’
Share This Article
Facebook Email Print
Previous Article મણિપુર હિંસા કેસોમાં CBI પર સુપ્રીમની સીધી નજર
Next Article નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૬૯૮૯૦ લોકોએ વ્યકિતગત આવકવેરામાં ૧ કરોડથી વધુ આવક દર્શાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up