સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેના વડપણ હેઠળની બેન્ચે ગુરુવારે કાયદો-વ્યવસ્થા અંગે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી.દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ખેડૂતોના હોબાળા દરમિયાન સરકાર દ્વારા અમુક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરવાનો કોર્ટે ઉલ્લેખ કર્યો. બેન્ચે કહ્યું કે ઉશ્કેરણીજનક માહિતીઓને રોકવી જરૂરી છે.સરકાર ઈન્ટરનેટ બંધ કરવા જેવી પ્રતિબંધાત્મક કાર્યવાહી સમાચાર ચેનલો સામે કેમ નથી કરતી?
તબલીગી જમાત સંબંધિત કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે આ ટિપ્પણી કરી હતી.ચીફ જસ્ટિસ બોબડેએ કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાને કહ્યું કે અમુક ચેનલો પર સતત ઉશ્કેરણીજનક કન્ટેન્ટ પ્રસારિત કરવામાં આવે છે પણ સરકાર તરીકે તમે કંઈ જ કરતા નથી.આવી ચેનલો પર નિયંત્રણ એટલું જ જરૂરી છે જેટલું કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે તમે અન્ય પ્રતિબંધાત્મક(ઈન્ટરનેટ બંધ કરવા જેવા) પગલાં ભરો છો.હું નથી જાણતો કે તમે કેમ આંખો બંધ કરી રાખી છે.મારો આશય કોઈ આક્રમક કાર્યવાહી સાથે નથી પણ તમે આ પ્રકારના મામલે કંઇ કરતા જ નથી.ચીફ જસ્ટિસે કહ્યું કે સાચા સમાચારોથી સામાન્ય રીતે કોઈ પરેશાની નથી પણ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ વિશેષ સમુદાય ઉશ્કેરાય તેવા સમાચાર પ્રસારિત કરવામાં આવે છે.તેનાથી પ્રભાવિત થઈને તે કોઈ અન્ય સમુદાય પર હુમલા કરે છે.આ પ્રકારની માહિતીઓ(ઉશ્કેરણીજનક)ને રોકવી,તેના પર નિયંત્રણ મેળવવો પણ જરૂરી છે.
મેં જાણીજોઈને ‘બિન-વિવાદિત’ શબ્દનો પ્રયોગ કર્યો
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે સરકારે દિલ્હીમાં ખેડૂતોના પ્રવેશ(વિઝિટ)ને કારણે મોબાઇલ પર ઈન્ટરનેટ બંધ કરી દીધાં.તેના પર કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાએ ‘વિઝિટ’ શબ્દ સામે વાંધો દર્શાવ્યો.ત્યારે સીજેઆઈએ કહ્યું કે મેં જાણી જોઈને બિનવિવાદિત શબ્દ(વિઝિટ)નો પ્રયોગ કર્યો છે.
મરકઝ મામલે મીડિયા રિપોર્ટિંગથી મુસ્લિમ સમુદાયની છબિ ખરડાઈ
ટોચની કોર્ટમાં જમિયત ઉલેમા-એ-હિન્દ તથા અન્યએ અરજી દાખલ કરી છે.તેમાં દલીલ કરી હતી કે ગત વર્ષે માર્ચ-એપ્રિલમાં કોરોનાકાળ દરમિયાન દિલ્હીના નિઝામુદ્દીન મરકઝ મામલે મીડિયાએ સંવેદનહીન રિપોર્ટિંગ કર્યું.મરકઝમાં એકઠા થયેલા તબલીગી જમાતના લોકોને કોરોના ફેલાવવાનું કારણ બતાવાયા.તેમને ખલનાયકની જેમ રજૂ કરાયા.તેનાથી મુસ્લિમ સમુદાયની છબિ ખરડાઈ.કોર્ટે બધા પક્ષોને સાંભળ્યા બાદ સુનાવણી 3 સપ્તાહ સુધી ટાળી હ