By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નેતા-પોલીસનું ગઠબંધન સાંસદ-ધારાસભ્યો સામેની ટ્રાયલ રોકે છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નેતા-પોલીસનું ગઠબંધન સાંસદ-ધારાસભ્યો સામેની ટ્રાયલ રોકે છે
GeneralNational

નેતા-પોલીસનું ગઠબંધન સાંસદ-ધારાસભ્યો સામેની ટ્રાયલ રોકે છે

HM News
Last updated: 05/11/2020 6:36 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : દેશમાં રાજકારણના અપરાધીકરણને બ્રેક મારવાના સર્વોચ્ચ અદાલતના પ્રયાસોને પોલીસ અને રાજકીય નેતાઓનું ગઠબંધન જ નિષ્ફળ બતાવે છે કે તેઓ ખુલ્લો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજુ થઈ હતી.સુપ્રીમ કોર્ટ દ્વારા જે દાગી નેતાઓ છે તેમની સામેના કેસ ઝડપથી ચલાવવા હાલમાં જ તમામ હાઈકોર્ટ અને તે માધ્યમથી જીલ્લા અને ટ્રાયલકોર્ટને આદેશ અપાયા છે અને આશ્ર્ચયર્યજનક રીતે કેરાળા અને કોલકતા હાઈકોર્ટ વતી રજુ થયેલા બે સીનીયર ધારાશાસ્ત્રીઓ તેમના રાજયમાં પોલીસ અને નેતાઓનું ગઠબંધન રાજકારણના અપરાધીકરણને આડકતરી છાવરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી વી.એન.રામન્નાના વડપણ હેઠળની ખંડપઠ સમક્ષ કેરાળા હાઈકોર્ટ વતી રજૂ થયેલા ધારાશાસ્ત્રી પી.એન.રવિન્દરન એ ચોંકાવનારી રજુઆત કરી હતી કે પોલીસ ધરપકડ વોરન્ટનો અમલ કરતી નથી અને તેની પાસેથી રજુ થતા નહી હોવાથી અદાલતી પ્રક્રિયા પણ આગળ વધતી નથી.કોલકતા હાઈકોર્ટ વતી રજુ થયેલા ધારાશાસ્ત્રી કુનાલ ચેટરજીએ પણ આ પ્રકારે જ રજુઆત કરી હતી.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે પોલીસ ધરપકડ વોરન્ટનો અમલ કરતી નથી તેવા હાઈકોર્ટના રીપોર્ટ પર જવાબ આપવા માટે કેરાળા સરકારના ધારાશાસ્ત્રી જી. પ્રકાશને જણાવ્યું હતું.સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી રામન્નાએ કેરાળા સરકારના ધારાશાસ્ત્રીને સીધો પ્રશ્ર્ન પૂછયોહતો કે અમોએ હાઈકોર્ટનો આ રીપોર્ટ જોયો છે? કઈ હાઈકોર્ટ ખોટો રીપોર્ટ આપવાનું કહી શકે? અદાલતી આદેશોનું તમારી પોલીસ પાલન કરે છે તે તમારે દર્શાવવું પડશે. સુપ્રીમ કોર્ટે કેરાળા સરકારની પણ એ મુદે ટીકા કરી હતી કે રાજકીય નેતાઓ સામેના પેન્ડીંગ કેસ ઝડપથી ચલાવવા સરકારે વચન આપ્યું હતું તેનો અમલ થયો નથી. પ.બંગાળ સરકાર સામે પણ સર્વોચ્ચ અદાલતે આ પ્રકારે જ નારાજગી દર્શાવી હતી અને પ્રશ્ન પૂછયો કે શું અદાલતી વોરન્ટનો અમલ કરવાની રાજય સરકારની ફરજ નથી? તમારા રાજયની હાઈકોર્ટ શું કરે છે તે તેઓએ સાંભળ્યું જ હશે.સંભવત પ્રથમ વખત કોઈ હાઈકોર્ટ તેના જ રાજયની સરકારની સામે આ પ્રકારે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી હોવાનું માનવામાં આવે છે.

ફ્રાન્સમાં જાસુસી અભિયાન ચલાવવા બદલ IKEA કંપનીને ૧૨ લાખ ડોલરનો દંડ
અડાજણની સંસ્કાર ભારતી અને રિવરડેલ સ્કૂલના 2 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગતા ખળભળાટ
શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે વધુ એક અરજી દાખલ, 25 ઓક્ટોબરે સુનાવણી
સુરતની સ્થિતિ અત્યંત ખરાબ, કમિશનરે ધડાધડ નિર્ણયો લેતા કર્મચારીઓની રજા રદ્દ કરી, નવો સ્ટ્રેઈન ખુબ જ…
કોટામાં જાનૈયાઓને લઇ જતી કાર ચંબલ નદીમાં ખાબકતા વરરાજા સહિત ૯નાં મોત
Share This Article
Facebook Email Print
Previous Article અર્નબ ગોસ્વામી 18 નવેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં
Next Article હાથમાંથી બાજી જતી દેખાતા ટ્રમ્પ અદાલતના શરણે : મત ગણતરી અટકાવવા અપીલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up