બુધવારે યોજાનારી નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાયી સમિતિની બેઠક છેલ્લી ઘડીએ મુલતવી રાખવામાં આવી છે.અગાઉ આશા હતી કે નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલી અને તેમના હરીફ જૂથના નેતા પુષ્પ કમલ દહલ જલદીથી તેમના વચ્ચેના મતભેદોને સુલઝાવીને સમાધાન કરી શકે છે.નેપાળના પૂર્વ વડાપ્રધાન પુષ્પા કમલ દહલ ઈચ્છે છે કે પીએમ કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દેવું જોઈએ.તેમની નિરંતરતા નેપાળના હિતો માટે નુકસાનકારક છે.પીએમ ઓલી અને કમ્યુનિસ્ટ પાર્ટીના ઉપપ્રમુખ પ્રચંડ વચ્ચેની બેઠક મંગળવારે બપોરે મળી હતી.બે કલાકની બેઠકના અંતે એક નિર્ણય લેવામાં આવ્યો કે સ્થાયી સમિતિની બેઠક બુધવારે થશે. આનો અર્થ એ થયો કે પીએમ ઓલી 44 સભ્યોની સ્થાયી સમિતિનો સામનો કરવા તૈયાર છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાંથી 30 લોકો ઓલીના રાજીનામાની ઇચ્છા કરે છે.
ઓલી કોઈપણ ભોગે સત્તા પર કબજો મેળવવા માટે તૈયાર
આ ઘટનાઓથી પરિચિત લોકોનું કહેવું છે કે પીએમ કેપી શર્મા ઓલી સત્તા પર કબજો મેળવવા માટે તૈયાર છે અને ચેતવણી આપી હતી કે જો તેમને હટાવવામાં આવશે તો તે નેપાળના બે વામપંથી પાર્ટીઓ કમ્યુનિસ્ટ પાર્ટી (એકિકૃત માર્ક્સવાદ-લેનિનવાદી) અને નેપાળના કમ્યુનિસ્ટ પાર્ટીમાં (માઓવાદી સેન્ટર)ને એક જૂટ કરીને 2018 માં ગઠબંધન નેપાલ કમ્યુનિસ્ટ પાર્ટીનું વિભાજન કરી શકે છે.એવું પણ કહેવાઈ રહ્યું છે કે પીએમ ઓલીને ચીનનું સમર્થન મળેલું છે.ગયા અઠવાડિયે ચીનના રાજદૂત હૌ યાનીકીએ નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવા ભંડારી ઉપરાંત રાકાંપા નેતાઓ માધવકુમાર નેપાળ અને ઝાલાનાથ ખાનલ સાથે બેઠક કરી હતી.
નેપાળની આંતરિક ઘટનામાં ચીનની દખલઅંદાજી
ચીની દૂતની બેઠકોથી નેપાળમાં એ સ્પષ્ટ સંદેશો ગયો છે કે નેપાળની આંતરિક ઘટનામાં ચીનની દખલઅંદાજી છે.દૂતાવાસે રાજનીતિક નેતાઓ સાથે હોઉ યાનકી ની બેઠકોની પુષ્ટિ કરી અને કહ્યું કે ચીન ઈચ્છે છે કે નેપાલ કમ્યુનિષ્ટ પાર્ટીના નેતા પોતાના મતભેદો દૂર કરી એકજૂટ રહે.નેપાલમાં રાજનીતિકોમાં એ ચર્ચા છે કે જો નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી એકજૂટ રહેતી નથી તો ચીન પીએમ ઓપી કોલીને એ બતાવવામાં સહેજ પણ નહીં વિચારે કે તેઓ સત્તા છોડી દે.
850થી વધુ સમય સત્તા પર રહેવામાં સફળ
ફેબ્રુઆરી 2018 માં વડાપ્રધાન તરીકેનો બીજો કાર્યકાળ શરૂ કરનાર ઓલી 850 દિવસથી વધુ સમય સુધી સત્તામાં રહેવામાં સફળ રહ્યા છે. તે એવા દેશમાં છે જે વર્ષોથી રાજકીય અસ્થિર રહ્યું છે.છેલ્લે 25 વર્ષ પહેલા નેપાળમાં વડાપ્રધાન ગિરીજા પ્રસાદ કોઈરાલાએ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. તેઓ મે 1991થી નવેમ્બર 1994 સુધી વડાપ્રધાન હતા.


