પલસાણા : બે દિવસ અગાઉ રાત્રીના સમયે એક પરિવાર અહીંથી કાર લઈ અંકલેશ્વરથી દમણ પસાર થઈ થઈ રહ્યું હતું ત્યારે તેઓની કાર અંધારામાં નહેરમાં ખાબકી હતી અને 2 કલાક પાણીમાં રહ્યા બાદ ફાયર વિભાગે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથધરી 5 લોકોનો આબાદ બચાવ થયો હતો આ ગંભીર ઘટના બાદ કડોદરા પોલિસે આ જોખમી જગ્યાએ બેરીકેટ ઉભા કર્યા હતા
પલસાણા તાલુકાના મધ્યમાંથી પસાર થતા ને.હા..48 કરણ ગામની સીમ માંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની મેઈન કેનાલને ક્રોસ થાય છે હવે થોડા વર્ષો અગાઉ ને.હા.48 ના નવીની કરણ કર્યું ત્યારે સર્વિસ રોડ બનાવતા આ નહેર પર પુલનું કામ બાકી છે જેના કારણે અમદાવાદથી મુંબઈ તરફ આવતા વાહનો ચલથાણ ગામનો રેલવે બ્રિજ ઉતરે છે ત્યારે સર્વિસ રોડ શરૂ થઈ જાય છે અને આ સર્વિસ રોડ નહેરના કિનારે આવીને પૂરો થઈ જાય છે.અહીં નહેરના કિનારે કોઈ પણ પ્રકારનું દિશા સૂચક બોર્ડ મુકવામાં આવ્યું નથી કે કોઈ આદાશ પણ ઉભી કરવામાં આવી નથી.રાત્રીમાં અંધારામા અહીંથી પસાર થતા વાહન ચાલકને ખ્યાલ જ નથી આવતો અને વાહન ગતિમાં હોવામાં કારણે વાહન ચાલક કઈ સમતે તે પહેલા વાહન સીધુ નહેરમાં ખાબકે છે.આમ અહીં સંખ્યાબંધ અકસ્માતોની વરજાણ સર્જાય છે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનું દેખાઈ આવે છે.છેલ્લા છ મહિનામાં અહીં બે નોંધ પાત્ર અકસ્માત સર્જાતા નહેર વિભાગ કે હાઇવે ઓર્થોરિટી આ બાબતે ગંભીર નહિ બનતા આખરે પોલિસે અહીં બેરીકેટ મૂકી આડાશ ઉભું કર્યું હતું.આ બાબતે નહેર તંત્ર તેમજ હાઇવે ઓર્થોરિટી ગંભીરતા દાખવી હંગામી ધોરણે અહીં યોગ્ય દિશા સૂચક બોર્ડ અથવા દીવાલ બનાવે એ જરૂરી બન્યું છે
- છેલ્લા એક વર્ષમાં અહીં રાત્રીના સમયે નહેરમાં 4 થી બધું વાહનો ખાબકયા છે : છેલ્લા એક વર્ષમાં અહીં રાત્રીના સમયે નહેરમાં 4 થી બધું વાહનો ખાબકયા છે બે દિવસ પહેલાની ઘટના ને તો લોકોને હચમચાવી મુક્યા છે છતાં નફ્ટ તંત્ર મગનું નામ મરી પાડવા તૈયાર નથી.સદનસીબે દર વખતે સ્થાનિકોની સમય સુચકતા અને પોલિસ અને ફાયરના અદ્ભૂત સંકલનના કારણે અકસ્માતમાં નહેરમાં ખાબકેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવે છે પંરતુ નસીબ દર વખતે સાથ આપે એ જરૂરી નથી અહીં કોઈ મોટી દુર્ઘટના બને એ પહેલાં સિંચાઈ વિભાગ અને હાઇવે ઓર્થોરિટી સંકલન કરી સમસ્યાનો કાયમી ઉકેલ આણે એવી પ્રજાની માંગ છે.