રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંત્રીમંડળમાં સમાવેશ ન કરાતા નારાજગી વ્યક્ત કરી છે. 6 ટર્મથી ધારાસભ્ય હોવા છતાં મંત્રી પદ ન મળતા નારાજગી વ્યક્ત કરી છે.ભાજપ સરકારે ક્ષત્રિયોને પૂરતો પ્રતિનિધિત્વ નથી આપ્યું તેમ ગોવિંદ પરમારે જણાવ્યું હતું.તાજેતરમાં ભાજપે ઐતિહાસિક નો-રિપીટ થિયરીના આધારે મંત્રીમંડળની ફેરબદલ કરી.જૂના જોગીઓને ઘરે બેસાડ્યા અને નવી ટીમને ગુજરાતની કમાન આપી. આ મંત્રીમંડળની રચનામાં અનેક નેતાઓના પત્તા કપાયા જેના કારણે વિરોધનો વંટોળ આંતરિક જોવા મળી રહ્યો છે.આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના શપથવિધીમાં આણંદ જિલ્લાને પ્રતિનીધિત્વ ન મળતા ચુંટાયેલા ભાજપના ધારાસભ્ય ગુસ્સે થયા છે.નોંધનીય છે કે, જિલ્લામા ઉમરેઠ અને ખંભાત માત્ર બે જ બેઠકો ભાજપને ફાળે ગયેલ છે.
ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનો મંત્રીમંડળમા સમાવેશ ન કરવાથી તે સખ્ત નારાજ થયેલા છે.તેમને આક્રોશ ઠાલવતા કહ્યું છે કે, હવેથી હું ભાજપની કોઇ મીટીંગ કે કાર્યક્રમોમાં જવાનો નથી.છેક છેલ્લે સુધી મારૂ નામ મંત્રીની યાદીમાં હતુ પરંતુ જિલ્લા સંગઠનના કારણે પત્તુ કાપવામાં આવ્યું છે.સમય આવે ત્યારે પાર્ટી છોડવાનો નિર્ણય લઇશ.વધુમા તેમને જણાવ્યુ છે કે, ઉમરેઠ તાલુકા પંચાયત અને ઓડ નગરપાલિકાની સત્તામાં પણ હવે ઉથલપાથલ જોવા મળશે.તેમ તેમને કહ્યું છે.
જયારે બાકીની ૬ બેઠકો કોંગ્રેસના ભાગે રહેલી છે. ત્યારે ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે પાર્ટીની નીતિરીતિ સામે આક્રોશ દેખાડતા કહ્યું છે કે, સંસદસભ્ય કોઇ પણ કામ નહીં લઇને આવવાનું કહે છે.અમૂલ ડેરીની ચૂંટણીમાં પણ મને જાણી જોઇને હરાવવામાં આવ્યો હતો.જિલ્લા સંગઠને મને મંત્રીપદ માટે મદદ કરી નહોતી. તાલુકા-જિલ્લા પંચાયત,ઓડ અને ઉમરેઠ નગરપાલિકામા પણ ભાજપને સત્તાસ્થાને બેસાડવા ખુબ મહેનત કરવામાં આવી છે.તેમ છતાં કામગીરીની નોંધ લેવાઇ નથી. પાર્ટીથી નારાજ છું.સમય આવે ત્યારે પાર્ટી છોડી દઇશ. કેમ કે ૨૦૨૨માં ટિકીટ અંગે માથાકુટ થવાની જ છે.
હવે મારા પરિવારજનો પુત્ર પણ અન્યાય મુદ્દે નારાજ રહેલા છે.ભાજપમાં માત્ર જ્ઞાતિવાદ જ ચાલે છે.જેથી આ પાર્ટીમા કામ કરવુ મુશ્કેલ છે.તેમ તેમને જણાવ્યુ છે.