By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ન્યાયપાલિકાની આઝાદીને એક ચોક્કસ લોબીથી ખતરો છે, વાંચો પૂર્વ CJI ગોગોઈનુ સ્ફોટક નિવેદન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ન્યાયપાલિકાની આઝાદીને એક ચોક્કસ લોબીથી ખતરો છે, વાંચો પૂર્વ CJI ગોગોઈનુ સ્ફોટક નિવેદન
GeneralNational

ન્યાયપાલિકાની આઝાદીને એક ચોક્કસ લોબીથી ખતરો છે, વાંચો પૂર્વ CJI ગોગોઈનુ સ્ફોટક નિવેદન

HM News
Last updated: 20/03/2020 11:05 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.20 માર્ચ 2020, શુક્રવાર

સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ રાજ્યસભામાં સભ્ય તરીકે શપથ લીધા ત્યારે વિપક્ષોએ તેમનો વિરોધ કર્યો હતો.

જોકે હવે રંજન ગોગોઈએ એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. ગોગોઈએ ચોંકાવનારુ નિવેદન આપતા કહ્યુ હતુ કે, ન્યાયપાલિકાને ખરેખર તો પાંચ-છ લોકોની એક ચોક્કસ લોબીથી આઝાદી અપાવવાની જરુર છે. તેમણે એક રીતે જજોને બંધક બનાવી લીધા છે.

ગોગોઈએ આગળ કહ્યુ હતુ કે, આ લોબી જો કોઈ કેસમાં તેમની મરજી પ્રમાણે કોઈ જજ ચુકાદો ના આપે તો તે જજને બદનામ કરવાના તમામ પ્રયાસો કરે છે. હું એ જજો માટે ચિંતિત છું જે આ લોબી સાથે કોઈ પંગો લેવા માંગતા નથી અને શાંતિથી રીટાયર થવા માંગે છે.

અયોધ્યા અને રાફેલના ચુકાદાના કારણે તેમને રાજ્યસભા પદ ઈનામમાં મળ્યુ છે તેવા આક્ષેપો અંગે ગોગોઈએ કહ્યુ હતુ કે, મને એટલે બદનામ કરાઈ રહ્યો છે કારણકે હું એ લોબી સામે ઝુક્યો નથી. જો કોઈ જજ આ લોબીથી ડરીને ચુકાદો આપે તો હું કહીશ કે તે જજ તરીકે લીધેલા શપથ પ્રત્યે ઈમાનદાર નથી. મારા અંતરાત્માએ જે કહ્યુ તે પ્રમાણે મેં ચુકાદો આપ્યો હતો.

ગોગોઈએ કહ્યુ હતુ કે, અયોધ્યાનો ચુકાદો પાંચ જજોની બેન્ચે સર્વ સંમતિથી આપ્યો હતો. આ જ રીતે રાફેલ વિમાનનો ચુકાદો પણ 3 જજોનો સર્વ સંમતિથી અપાયેલો ચુકાદો હતો. જે લોકો મારા રાજ્યસભાના સભ્ય પદ સવાલ ઉઠાવી રહ્યા છે તે લોકો શું આ ચુકાદાઓમાં સામેલ બાકીના જજોની ઈમાનદારી પર આંગળી નથી ઉઠાવી રહ્યા

ગોગોઈએ કહ્યુ હતુ કે, તત્કાલીન ચીફ જસ્ટીસ દીપક મિશ્રાના સમયે કેસોને અલગ-અલગ બેન્ચોમાં વહેંચવાની પધ્ધતિ પર જ્યારે મેં ચાર જજો સાથે પ્રેસ કોન્ફન્સ કરી ત્યારે ન્યાયપાલિક પર પકડ જમાવનાર લોબીનો હું લાડકો બની ગયો હતો. આ લોબી ઈચ્છતી હતી કે, જજો કેસોનો ચુકાદો તેમના હિસાબે કરે. પણ મેં એ જ કર્યુ જે મને સાચુ લાગ્યુ.

તેમણે કહ્યુ હતુ કે, લોબી દ્વારા ઝેર ઓકવાના કારણે અને બદનામ થવાના ડરથી તમામ જજ આ લોબી સામે ચૂપ રહે છે. હું આજે ચૂપ નહી રહી શકું.જો કોઈ પૂર્વ ચીફ જસ્ટિસને કોઈ ચુકાદા માટે ઈનામ જ જોઈતુ હોય તો તે મલાઈદાર પોસ્ટ પણ માંગી શકાત. શું કામ કોઈ પૂર્વ ચીફ જસ્ટિસ રાજ્યસભામાં જવાનુ પસંદ કરે જ્યાં તેને એ જ સુવિધા મળે છે જે રિટાયર ચીફ જસ્ટિસને મળે છે.

ગોગોઈએ કહ્યુ હતુ કે, મેં નક્કી કર્યુ છે કે, જો મંજૂરી મળશે તો હું રાજ્યસભાના સાંસદ તરીકે કોઈ વેતન નહી લઉં અને તે વેતન નાના શહેરોની લો કોલેજોની લાઈબ્રેરીઓને આપી દઈશ.

રાફેલ ચુકાદા અંગે તેમણે કહ્યુ હતુ કે, રાફેલ ડીલનો મામલો કોઈ રોડના બાંધકામ સાથે જોડાયેલા મામલા જેટલો સામાન્ય નહોતો. રાફેલ જેવા મામલામાં પારદર્શિતા માટે શું વિમાનો પર લગાવાયેલા સંવેદનશીલ ઉપકરણોની માહિતી જાહેર કરી દેવી યોગ્ય હોત?એટલા માટે જ સરકાર પાસે સીલબંધ રિપોર્ટ માંગ્યો હતો. જેનો લોબીએ વિરોધ કર્યો હતો પણ આજ લોબી ટુ જી સ્પેક્ટ્રમ ગોટાળાના કેસમાં સીલબંધ રિપોર્ટ સુપ્રીમ કોર્ટે માંગ્યો ત્યારે ચૂપ હતી. શાહીનબાગ અંગે પણ સીલબંધ રીપોર્ટ સોંપાયો તો લોબીને વાંધો કેમ નથી?

રાજયસભા નોમિનેશન અંગે તેમણે કહ્યુ હતુ કે, આ પ્રસ્તાવ એવા વ્યક્તિ પાસેથી આવ્યો હતો કે, જે સરકાર સાથે કે ન્યાયપાલિકા સાથે સંકળાયેલા નથી.રાષ્ટ્રપતિ અલગ અલગ ક્ષેત્રમાં યોગદાન આપનારા લોકોને નોમિનેટ કરે છે તો શું 20 વર્ષ સુધી જજ તરીકે સેવા આપનાર કોઈ વ્યક્તિ આ માટે લાયક નથી?આ પદ સ્વીકારવાથી કેવી રીતે ન્યાયપાલિકાની સ્વતંત્રતા સાથે સમાધાન થઈ ગયુ?

લો આ રહી ગુજરાતના નવા કેબિનેટ મંત્રીઓની ક્રાઈમ કુંડળી : મારામારી ,શાંતિભંગ અને ચેક બાઉન્સના નોંધ્યા છે ગુના !
સામનામાં પ્રહાર : મોદીનો ચહેરો છે એટલે બાકી BJPના નામે કુદી રહેલા નેતાઓ નગરપાલિકાની ચૂંટણીમાં શોધયે પણ ન જડે
એકનાથ શિંદે વિરુદ્ધ વાંધજનક ટિપ્પણી કરવા બદલ સંજય રાઉત વિરુદ્ધ FIR દાખલ
અભિનેતા સોનુ સુદના ઘરે સતત ત્રીજા દિવસે આવકવેરા વિભાગની તપાસ ચાલુ
ઈઝરાયેલ ઈન્ટેલિજન્સના લેફ્ટનન્ટે ઊંચી ઈમારત પરથી કૂદીને પોતાનો જીવ લીધો હતો : રિપોર્ટ
Share This Article
Facebook Email Print
Previous Article યસ બેન્ક પ્રકરણે અનિલ અંબાણીની નવ કલાક ઈડી કાર્યાલયમાં પૂછપરછ
Next Article સુરતમાં ભરાતા અઠવાડિક બજાર બંધ, ગાર્ડન પણ બંધ કરાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up