By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ન્યૂઝપેપરના નામે ફેક ન્યૂઝ વાયરલ કરનાર સોફ્ટવેર ડેવલોપરની ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > ન્યૂઝપેપરના નામે ફેક ન્યૂઝ વાયરલ કરનાર સોફ્ટવેર ડેવલોપરની ધરપકડ
GeneralSaurashtra

ન્યૂઝપેપરના નામે ફેક ન્યૂઝ વાયરલ કરનાર સોફ્ટવેર ડેવલોપરની ધરપકડ

HM News
Last updated: 23/05/2020 8:49 AM
HM News
5 years ago
Share
SHARE

-પાન-બીડીની એજન્સી નહીં ખૂલે તેવા ખોટા મેસેજથી શેઠને હેરાન કરવા કર્યા

– શેઠને હેરાન કરવા માટે એક અખબારના લોગોનો ઉપયોગ કરી પાન- બીડીની એજન્સી 3૧ મે, સુધી નહીં ખૂલે તેવા ખોટા સમાચાર વાયરલ કર્યા હતા. આ મામલે અખબારના માલિક,સંપાદકે ફરિયાદ નોંધાવતા પોલીસે સોફ્ટવેર ડેવલોપરની ધરપકડ કરી હતી.

રાજકોટ : ૧૯ મેના બપોરે રાજકોટથી પ્રસિધ્ધ થતાં રાજકોટ મિરર નામના અખબારના લોગો સાથે એક ફેક ઇમેજ વાયરલ થઇ હતી.જેમાં રાજકોટ શહેર પાન-બીડી વેપારી અને ગલ્લાઓના એસોસિએશનનો જનહિતમાં મોટો નિર્ણય.3૧ મે સુધી શહેરમાં કોઇ પણ એજન્સી કે દુકાન નહીં ખુલે એવા સમાચાર લખ્યા હતા.આ ફેક ન્યૂઝ વાયરલ કરનાર સામે અખબારના સંપાદક,માલિક પ્રતિપાલસિંહ જાડેજાએ આઇ.પી.સી.ની કલમ ૪૬૯,૪૭૧ અને આઇ.ટી. એક્ટની કલમ ૬૬ (સી) મુજબ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એચ.બી.ધાંધલ્યાએ સાયબર સેલની મદદથી ફેક ઇમેજ વાયરલ કરનાર જીજ્ઞેશ મનસુખભાઇ સાવલીયા(રહે, જલારામ-૨, ઇન્દીરા સર્કલ નજીક)ની ધરપકડ કરી હતી.જીજ્ઞેશ સાવલીયા પોતે સોફ્ટવેર ડેવલોપર અને તેણે પોતાના માલિક ઠક્કરબાપાને બીડી-તંબાકુનું વ્યસન હોવાથી તેને હેરાન કરવા આવી ઇમેજ બનાવીને તેને ફોરવર્ડ કર્યાની કબૂલાત આપી હતી. જોકે શેઠખરાઇ કરવા બીજાને આ પોસ્ટ ફોરવર્ડ કરશે અને મામલો પોલીસ સુધી પહોંચશે તેવી ધારણા ન હતી.

દેશમાં કોરોનાના નવા ૧.૬૧લાખ કેસો વધુ ૧૭૩૩ લોકોનાં મોત
ગુજરાતના આ શહેરમાં ભાજપ નેતાના ઘર પર ફાયરિંગ, શહેર ભાજપ મહામંત્રી ગંભીર રીતે ઘાયલ, જાણો ક્યાં લઈ જવા પડ્યા ?
સ્પેનમાં કોરોનાએ મચાવી તબાહી, 11,947 લોકોના મોત થતા સ્થિતિ વિકટ
ગુજરાતમાં જમીન હસ્તાંતરણના 62 વિવાદો: 96 હજાર કરોડનું રોકાણ ફસાયું
હાર્દિક પટેલ અને કોંગ્રેસે રામ મંદિર મુદ્દે વાણીવિલાસ કરીને કરોડો હિન્દુઓની લાગણી દુભાવી
Share This Article
Facebook Email Print
Previous Article NBFCની લિક્વિડિટીની સમસ્યા કોરોના વાયરસને કારણે વધુ વકરશે : મૂડી’ઝ
Next Article સરકારી બેન્કોએ અઢી મહિનામાં રુ 6.45 લાખ કરોડની લોન મંજૂર કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up