ચંદીગઢ, તા. 23 માર્ચ 2022 બુધવાર : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બુધવારે વચન અનુસાર એન્ટી કરપ્શન હેલ્પલાઈન નંબર જારી કર્યો.આ નંબર પર લોકો વ્હોટ્સ એપ કરીને ભ્રષ્ટાચારની ફરિયાદ કરી શકશે.પજાબના મુખ્યમંત્રી તરફથી જારી મોબાઈલ નંબર 9501 200 200 છે.હુસૈનીવાલા ફિરોઝપુરમાં શહીદ ભગત સિંહને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા ભગવંત માને કહ્યુ કે આજે શહીદી દિવસ છે અને તમામને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.માને કહ્યુ કે આજે આપણે એક એન્ટી કરપ્શન નંબર જારી કરવા જઈ રહ્યા છે. 9501200200 આ નંબર અમારો છે.જો આપને કોઈ લાંચ માગવા માટે કહે છે,આપ ના પાડતા નહીં. રેકોર્ડ કરીને આ નંબર પર મોકલી દેશો અને જાણકારી અમારા સુધી પહોંચી જશે.તેમણે કહ્યુ કે મને આ માટે પંજાબના લોકોના સમર્થનની જરૂર છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 17 માર્ચે એલાન કર્યુ હતુ કે તેમની સરકાર 23 માર્ચે રાજ્યની ભ્રષ્ટાચાર રોધી હેલ્પલાઈન જારી કરશે,જેથી લોકો ભ્રષ્ટ અધિકારીઓને બેનકાબ કરી શકે.મુખ્યમંત્રીએ જોર આપતા કહ્યુ કે તેઓ રાજ્યમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર સુનિશ્ચિત કરશે.દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે માનની જાહેરાતનુ સ્વાગત કર્યુ હતુ. તેમણે કહ્યુ કે તેમની સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં ભ્રષ્ટાચારનો સફાયો કરી દીધો અને હવે માન તથા તેમના મંત્રી પંજાબમાં એક ઈમાનદાર સરકાર ચલાવશે.
પંજાબના મુખ્યમંત્રીએ કહ્યુ કે તેઓ કોઈ અધિકારી કે કર્મચારીને ધમકી આપી રહ્યા નથી. તેમણે કહ્યુ,પંજાબ સરકારના 99 ટકા કર્મચારી ઈમાનદાર છે અને માત્ર એક ટકા એવા લોકો છે જે ખોટા તથા ભ્રષ્ટ છે.હુ માત્ર એક ટકા માટે અધિકારીઓ અને કર્મચારીઓને બદનામ થવા નહીં દઉં.