ફિરોઝપુર : બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ શુક્રવારે રાત્રે પંજાબના ફિરોઝપુર વિસ્તારમાં આંતરાષ્ટ્રીય સરહદ નજીક એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે.બીએસએફના મતે આ ડ્રોન મેડ ઈન ચાઈના અર્થાત ચાઈનિઝ બનાવટનું હતું અને પાકિસ્તાન તરફથી ભારતના હિસ્સામાં ઘુસ્યું હતું.એક અધિકારીએ જણાવ્યું હતું કે બીએસએફના વરિષ્ઠ અધિકારીને સુચના મળતા જ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર વિસ્તામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
બીએસએફના જણાવ્યા મુજબ અમરકોટમાં સરહદ નજીક પોસ્ટ પર પેટ્રોલિંગ કરી રહેલી એક ટીમને રાત્રે આશરે 11 વાગ્યે 10 મિનિટે કંઈક અવાજ સંભળાયો હતો. થોડી ક્ષણ બાદ એક હેક્સાકોપ્ટર ડ્રોન ઓછી ઉઁચાઈ પર ઉડતું જોવા મળ્યું હતું.આ ડ્રોન આંતરાષ્ટ્રીય સરહદથી લગભગ 300 મીટર દૂર તેમજ સરહદની સુરક્ષા માટેની વાડથી 150 મીટર દૂર હતું.ત્યારબાદ બીએસએફએ તેને પોતાના કબજામાં લઈ લીધું હતું.
બોર્ડર સુરક્ષા દળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 17 ડિસેમ્બરના રાત્રે 11.10 કલાકે આઉટ પોસ્ટના સતર્ક જવાનોએ અમરકોટમાં એક ડ્રોનને પકડી પાડ્યું હતું અને તેને નષ્ટ કરી દીધું હતું.આ ડ્રોન સરહદ માટેની સુરક્ષા વાડથી લગભગ 150 મીટર અને આંતરાષ્ટ્રીય સરહદથી 300 મીટરના અંતરે હતું.ઉચ્ચ અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ અભિયાન હાથ ધર્યું છે.નષ્ટ કરાયેલું ડ્રોન મેડ ઈન ચાઈના છે.એલર્ટ બીએસએફ જવાનોએ વધુ એક વખત સરહદ પર પાક.ના નાપાક ઈરાદા પર પાણી ફેરવી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે,પાકિસ્તાન સરહદને પેલે પારથી ડ્રોન મારફતે માદક પદાર્શો તેમજ હથિયારોની ઘુષણખોરી ભારતમાં કરતું હોવાના ભૂતકાળમાં અનેક ષડયંત્રને પણ ભારતે નિષ્ફળ બનાવ્યા હતા.બીએસએફ આ મામલે તપાસ પૂર્ણ થયા બાદ વધુ સ્પષ્ટતા કરશે.