પશ્ચિમ ત્રિપુરા જિલ્લાના ડીએમ શૈલેશકુમાર યાદવને એક મેરેજ હોલમાં ઘૂસીને વરરાજા,પંડિત અને લગ્નમાં શામેલ મહેમાનો સામે અભદ્ર વ્યવહાર કરવો ભારે પડી ગયો છે.સોશ્યલ મીડિયા પર આ ઘટનાનો વિડિયો વાયરલ થયો હતો.જે પછીથી શૈલેશ કુમાર યાદવને પદ પરથી હટાવવાનું દબાણ વધી ગયું હતું.
આ મામલે ડીએમ એ પોતાની ભૂલ માની હતી
આ બાબતે કાયદા મંત્રી રતનલાલ નાથે જણાવ્યું કે, આ મામલે ડીએમ એ પોતાની ભૂલ માની છે.કાયદા મંત્રીએ જણાવ્યું કે,મુખ્ય સચિવ શૈલેશકુમાર યાદવને સસ્પેન્ડ કરી દેવાયા છે.રાવલ હેમેન્દ્ર કુમારને જિલ્લાના નવા ડીએમ નિયુક્ત કરાયા છે. 26એપ્રિલે ડીએમએ એક લગ્ન હોલમાં જઈને લગ્ન રોકાવી દીધા તેમજ પંડિતજીને થપ્પડ મારી અભદ્ર વ્યવહાર કર્યો હતો.આ ઘટનાની ખૂબજ નીંદા થઈ છે.હવે આ ઘટનાની બે સીનિયર અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
બીજેપી ધારાસભ્ય આશીષ દાસે તેમને હટાવવાની માગ લઈને ધરણા પર બેઠા હતા
ડીએમ શૈલેશ કુમાર યાદવની આ હરકત ઉપર બીજેપી ધારાસભ્ય આશીષ દાસે તેમને હટાવવાની માગ લઈને ધરણા પર બેઠા હતા.આશીષ દાસનું કહેવું હતું કે શૈલેશકુમારે પોતાની ભૂલ માની એ જ મહત્ત્વનું છે.જિલ્લાધિકારીના બે વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા.આ વીડિયોમાં ડીએમ દ્વારા મેરેજ હોલ ઉપર કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાનના હતા.કોરોના મહામારી દરમિયાન આયોજિત લગ્ન સમારોહમાં શામેલ લોકો દ્વારા કોવિડ ગાઈડલાઈનનું પાલન ન થતાં ભડક્યા હતા. લગ્નના પ્રસંગે પહોંચેલા ડીએમે હાજર વરરાજા,પડિંત,છોકરા છોકરીના માતાપિતાસાથે ગેરવર્તન કર્યું હતું.જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબજ વાયરલ થતાં તેમને પદ પરથી હટાવવાની માગ થઈ હતી.
કલેકટરના કરતૂત પર સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ જોવા મળી રહ્યો
કોરોના કાળમાં ત્રિપુરાના એક કલેકટરના કરતૂત પર સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.પશ્ચિમ ત્રિપુરાના કલેકટરનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં દેખાય છે કે,કલેક્ટર શૈલેષ યાદવે પોલીસને સાથે રાખીને એક લગ્ન સમારોહમાં એન્ટ્રી કરી હતી.આ વિડિયોમાં કલેકટર લગ્નમાં સામેલ લોકો પર હાથ ઉઠાવતા નજરે પડે છે.ત્યાં સુધી કે લગ્ન કરાવનાર પંડિતને પણ કલેકટર લાફો મારી દે છે.
કલેકટર યાદવ મહિલાના હાથમાં કાગળ લઈને ફાડી નાંખે છે
એક મહિલા કલેકટરને કોઈ કાગળ બતાવવા માંગે છે તો કલેકટર યાદવ મહિલાના હાથમાં કાગળ લઈને ફાડી નાંખે છે.જોકે કલેકટરની જે વર્તણૂંક છે તે તેમના હોદ્દાને શોભા દે તેવી નથી તેવુ વિડિયોમાં જોઈ શકાય છે.આ વિડિયો જોયા બાદ જે રીતે લોકોએ ગુસ્સો વ્યક્ત કરવા માંડયો હતો તે જોઈને ત્રિપુરા સરકાર એક્શનમાં આવી હતી અને કલેકટરે હવે સસ્પેન્ડ કરી દીધા છે.ત્રિપુરાના મુખ્યમંત્રીએ પણ સમગ્ર ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે.
હવે કલેકટરની સાન ઠેકાણે આવી
ત્રિપુરામાં આ મામલાએ હવે વધારે તુલ પકડયુ છે.કારણકે ભાજપ સાંસદે પણ જેના લગ્ન હતા તે દુલ્હનને મળવા જવાની જાહેરાત કરી છે.જોકે હવે કલેકટરની સાન ઠેકાણે આવી છે. કલેકટર યાદવે માફી માંગીને કહ્યુ છે કે, મારો ઉદ્દેશ કોઈની લાગણી દુભવવાનો નહોતો.