સુરત : સોનગઢના શ્રમજીવી વૃદ્ધના પગમાં કેન્સર ફેલાઈ ગયું હોવાથી પથારીવશ જેવા થઇ ગયા હતા.તેવા સમયે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સર્જરી વિભાગના ડોક્ટરની ટીમે પગમાં સફળ સર્જરી કરીને ચાલતા કર્યા છે.પ્રાપ્ત વિગત મુજબ સોનગઢમાં રહેતા ૭૨વર્ષીય રૃસ્તમભાઈ ચૌધરી ૧૭ વર્ષ પહેલા ખેતીકામ કામ કરતા હતા.તે સમયે પાણીના મશીન ડાબા હાથ અને જમણો પગમા ઇજા થઇ હતી.જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.જોકે તેમના હાથનો પંજો એટલે કાંડુ કાપવું પડયું હતું.જ્યારે તેમના પગની સારવાર ચાલી રહી હતી પણ તેના પગમાં સારું થયું ન ચિંતાતુર થઇ ગયા હતા.
જેના કારણે આખરે તેમના જમણા પગમાં થાપા થી ઘૂંટણ સુધીના ભાગમાં ધીરે ધીરે ચેપ ફેલાઈ રહ્યું હતું.આવા સંજોગોના લીધે તેઓ ચાલી શકતા ન હોવાથી હાલત કફોડી થઇ ગઇ હતી અને તે પથારીવશ જેવા થઇ ગયા હતા.જોકે એક વર્ષ પહેલા તે પગમાં સર્જરી કરવામાં આવી હતી પણ તેમની તકલીફમાં જરા પણ ધટાડો થયો ન હતો.
દરમિયાન ગત તા.૨૮-૪-૨૦૨૨ના તેમને પરિવારજનો સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા.જ્યાં સર્જરી વિભાગના ડોક્ટરે તેમના પરીક્ષણ કરાવતા તેમના જમણા પગના થાપાથી લઈને ઘૂંટણ સુધીના ભાગમાં કેન્સર ફેલાઈ ગયું હોવાનું નિદાન થયું હતું.જેને મોલઝોરીન અલસર કહેવાય છે.જેથી સર્જરી વિભાગના ડોકટરો સિવિલ કેમ્પસમાં આવેલા કેન્સર સેન્ટરના નિષ્ણાંત ડોકટરો આ અંગે માર્ગદર્શન અને સહલા લીધી હતી.જેથી તે ડોકટરોએ તેમનો થાપાથી નીચે પગને કાપવા કહ્યુ હતુ.જોકે આ પગ નહી કાપવા આવે તો.તેમના આખા શરીરમાં કેન્સર ફેલાવવાની સકયતા હતી.જેથી ગત તા.૮મી સિવિલમાં સર્જરી વિભાગના ડો.સંદિપ કંછલ,અર્થો.ઓન્કો સર્જન ડો.રાહુલ પરમાર,પ્લાસ્ટીક સર્જન ડો.રૃપીન,ડો.ઉત્કષ સહિતના ડોકટરોની ટીમે સતત ત્રણ કલાક સુધી તેમની સફળ સર્જરી કરીને પગ કાપવામાં આવ્યો હતો.જયારે આ પ્રકારની ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવે તો 10 થી 12 લાખ સુધીનો ખર્ચ થતો હોય છે.પણ સિવિલમાં મફત સર્જરી થઇ હતી.લાંબા સમયથી તે પઠારીવસ જેવા રહ્યા બાદ ઓપરેશન બાદ વૃધ્ધ ધોડીના સહારે ધીરે ધીરે ચાલી રહ્યા હોવાથી તેમને અને તેમના પરિવારમાં ખુસી જોવા મળી છે.જોકે કુત્રિમ પગના સહારે પણ તે ચાલતા થશે.એવું સર્જરી વિભાગ ડો.ઉત્કષ લેખડીયા એ જણાવ્યું હતું.
પગમાં કેન્સર ફેલાઇ જવાથી પથારીવશ વૃદ્ધની સિવિલમાં સર્જરી કરી ચાલતા કરાયા
Leave a Comment