By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પગમાં કેન્સર ફેલાઇ જવાથી પથારીવશ વૃદ્ધની સિવિલમાં સર્જરી કરી ચાલતા કરાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > પગમાં કેન્સર ફેલાઇ જવાથી પથારીવશ વૃદ્ધની સિવિલમાં સર્જરી કરી ચાલતા કરાયા
GeneralSurat

પગમાં કેન્સર ફેલાઇ જવાથી પથારીવશ વૃદ્ધની સિવિલમાં સર્જરી કરી ચાલતા કરાયા

HM News
Last updated: 21/05/2022 6:19 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : સોનગઢના શ્રમજીવી વૃદ્ધના પગમાં કેન્સર ફેલાઈ ગયું હોવાથી પથારીવશ જેવા થઇ ગયા હતા.તેવા સમયે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સર્જરી વિભાગના ડોક્ટરની ટીમે પગમાં સફળ સર્જરી કરીને ચાલતા કર્યા છે.પ્રાપ્ત વિગત મુજબ સોનગઢમાં રહેતા ૭૨વર્ષીય રૃસ્તમભાઈ ચૌધરી ૧૭ વર્ષ પહેલા ખેતીકામ કામ કરતા હતા.તે સમયે પાણીના મશીન ડાબા હાથ અને જમણો પગમા ઇજા થઇ હતી.જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.જોકે તેમના હાથનો પંજો એટલે કાંડુ કાપવું પડયું હતું.જ્યારે તેમના પગની સારવાર ચાલી રહી હતી પણ તેના પગમાં સારું થયું ન ચિંતાતુર થઇ ગયા હતા.
જેના કારણે આખરે તેમના જમણા પગમાં થાપા થી ઘૂંટણ સુધીના ભાગમાં ધીરે ધીરે ચેપ ફેલાઈ રહ્યું હતું.આવા સંજોગોના લીધે તેઓ ચાલી શકતા ન હોવાથી હાલત કફોડી થઇ ગઇ હતી અને તે પથારીવશ જેવા થઇ ગયા હતા.જોકે એક વર્ષ પહેલા તે પગમાં સર્જરી કરવામાં આવી હતી પણ તેમની તકલીફમાં જરા પણ ધટાડો થયો ન હતો.
દરમિયાન ગત તા.૨૮-૪-૨૦૨૨ના તેમને પરિવારજનો સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા.જ્યાં સર્જરી વિભાગના ડોક્ટરે તેમના પરીક્ષણ કરાવતા તેમના જમણા પગના થાપાથી લઈને ઘૂંટણ સુધીના ભાગમાં કેન્સર ફેલાઈ ગયું હોવાનું નિદાન થયું હતું.જેને મોલઝોરીન અલસર કહેવાય છે.જેથી સર્જરી વિભાગના ડોકટરો સિવિલ કેમ્પસમાં આવેલા કેન્સર સેન્ટરના નિષ્ણાંત ડોકટરો આ અંગે માર્ગદર્શન અને સહલા લીધી હતી.જેથી તે ડોકટરોએ તેમનો થાપાથી નીચે પગને કાપવા કહ્યુ હતુ.જોકે આ પગ નહી કાપવા આવે તો.તેમના આખા શરીરમાં કેન્સર ફેલાવવાની સકયતા હતી.જેથી ગત તા.૮મી સિવિલમાં સર્જરી વિભાગના ડો.સંદિપ કંછલ,અર્થો.ઓન્કો સર્જન ડો.રાહુલ પરમાર,પ્લાસ્ટીક સર્જન ડો.રૃપીન,ડો.ઉત્કષ સહિતના ડોકટરોની ટીમે સતત ત્રણ કલાક સુધી તેમની સફળ સર્જરી કરીને પગ કાપવામાં આવ્યો હતો.જયારે આ પ્રકારની ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવે તો 10 થી 12 લાખ સુધીનો ખર્ચ થતો હોય છે.પણ સિવિલમાં મફત સર્જરી થઇ હતી.લાંબા સમયથી તે પઠારીવસ જેવા રહ્યા બાદ ઓપરેશન બાદ વૃધ્ધ ધોડીના સહારે ધીરે ધીરે ચાલી રહ્યા હોવાથી તેમને અને તેમના પરિવારમાં ખુસી જોવા મળી છે.જોકે કુત્રિમ પગના સહારે પણ તે ચાલતા થશે.એવું સર્જરી વિભાગ ડો.ઉત્કષ લેખડીયા એ જણાવ્યું હતું.

કોંગ્રેસમાં પણ નેતાઓનુ એક જૂથ હિન્દુત્વનુ અને જનોઈધારી ઈમેજનુ સમર્થક : સલમાન ખુરશીદ
એલોન મસ્કે રદ કરી 44 અબજ ડોલરની ટ્વિટર ડીલ, કંપની કોર્ટમાં જવા તૈયાર
દમણ જવાના શોખીનો માટે આવ્યો નવો નિયમ, ત્રીજી લહેરમાં જતા પહેલા વાંચી લેજો
ઓસ્ટ્રેલિયાના આ ફાસ્ટ બોલરે PM કેર ફંડમાં આપ્યા 50 હજાર ડોલર, ભારતમાં ઓક્સિજન માટે કરી મદદ
ધો.10માં સ્ટાન્ડર્ડ મેથ્સમાં નાપાસ બેઝિક મેથ્સમાં પુરક પરીક્ષા આપી શકશે
Share This Article
Facebook Email Print
Previous Article લિંબાયત પોલીસે જપ્ત કરી ગોડાઉનમાં મુકેલા વાહનોમાં આગ
Next Article NSEમાં કો-લોકેશનના દુરૂપયોગ મામલે દિલ્હી, મુંબઈ, કોલકાતાના અનેક બ્રોકર્સના ત્યાં દરોડા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up