By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પત્રકાર રોહિત સરદાનાના અવસાનથી મીડિયા જગતમાં શોકનો માહોલ, બે દિવસ પહેલા સુધી કરી રહ્યા હતા લોકોની મદદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પત્રકાર રોહિત સરદાનાના અવસાનથી મીડિયા જગતમાં શોકનો માહોલ, બે દિવસ પહેલા સુધી કરી રહ્યા હતા લોકોની મદદ
GeneralNational

પત્રકાર રોહિત સરદાનાના અવસાનથી મીડિયા જગતમાં શોકનો માહોલ, બે દિવસ પહેલા સુધી કરી રહ્યા હતા લોકોની મદદ

HM News
Last updated: 30/04/2021 10:11 AM
HM News
4 years ago
Share
SHARE

પ્રખ્યાત પત્રકાર રોહિત સરદાનાનું આજે નિધન થયું.જે બાદ ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર તેના મૃત્યુ અંગે દુ: ખ વ્યક્ત કર્યું છે.મળેલી માહિતી અનુસાર તેઓ કોરોના સંક્રમિત હતા અને આ દરમિયાન હાર્ટ એટેકને કારણે તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.કોરોના સંક્રમણના આ સમયમાં પણ તેઓ એક દિવસ પહેલા સુધી લોકોની મદદ માટે સક્રિય હતા.તેઓ કોરોનાથી પીડિત લોકોની સારવાર માટે સોશ્યલ મીડિયા પર સતત સક્રિય હતા,જેમાં રેમડેસિસવીર ઇન્જેક્શન,ઓક્સિજન,પથારી વગેરેને લઈને સૌને મદદ કરી રહ્યા હતા.

તેમના અવસાનના સમાચાર સાંભળીને મીડિયા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.ઘણાં પત્રકારોએ તેમના નિધનનાં સમાચાર ટ્વીટ કર્યા છે.પત્રકારો ઉપરાંત પ્રધાનમંત્રી મોદી,અમિત શાહ,ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ,મોદી સરકારમાં પ્રધાન સ્મૃતિ ઈરાની તેમજ કોંગ્રેસના મોટા મોટા નેતાઓએ પણ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.તેમને લખ્યું કે ‘રોહિત સરદાના જલ્દીથી આપણને છોડીને ચાલ્યા ગયા.એનર્જીથી ભરેલા,ભારતની પ્રગતિ પ્રત્યે ઉત્સાહી અને દયાળુ આત્મા રોહિતને સૌ યાદ કરશે.તેમના અકાળ અવસાનથી મીડિયા જગતમાં એક મોટી ખોટ ઉભી થઇ ગઈ છે.તેમના પરિવાર,મિત્રો અને પ્રશંસકો પ્રત્યે સંવેદના.ઓમ શાંતિ.

ગૃહ મંત્રી અમિત શાહે પણ શોકની લાહાની વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કરીને રોહિત સરદાનાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પત્રકારના અવસાન પર યોગી આદિત્યનાથે પણ શોક વ્યક્ત કર્યો હતો.

દિલ્હી કોંગ્રેસના એકાઉન્ટ પરથી પણ રોહિત સરદાનાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

સ્મૃતિ ઈરાનીએ પણ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

અચાનક આવા માઠા સમાચારથી મીડિયા જગત અને સોશિયલ મીડિયામાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

રાજસ્થાનમાં ફૂંકાયેલા તોફાનથી ગાંધી પરિવારને નવી આશા જાગી?
Coronaથી આવશે વૈશ્વિક મંદી પણ ભારત-ચીનને નહીં થાય અસરઃ UN
પોપ્યુલર બિલ્ડર પછી હવે બિલ્ડર, ફાર્મા કંપની, શરાફો પર ITની બાજ નજર
ગુજરાતમાં 3 લાખ કરોડનું બજેટ રજુ, જાણો બજેટમાં કોને શું મળ્યું?
“કેપિટલ હિલ”-આટલી વખત સત્તા પલટી પણ ભારતમાં અમેરિકા જેવું ક્યારેય થયું નથી જ
Share This Article
Facebook Email Print
Previous Article રાષ્ટ્રપતિ શાસન લગાવો : કેજરીવાલના ધારાસભ્યે જ જાહેરમાં કરી બુમરાણ, દિલ્હીમાં દર્દીઓની હાલત ખરાબ
Next Article ભારતીય શેરબજારમાં ડેરિવેટિવ્ઝ વલણની શરૂઆતે ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્.…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up