પપ્પાના લીધે બોલિવૂડમાં એન્ટ્રી સરળ રહી : અહાન શેટ્ટી

HM News
1 Min Read

નવી દિલ્હી : કેન્દ્ર સરકારની આગામી દોઢ વર્ષમાં ૧૦ લાખ લોકોને રોજગારી આપવાની જાહેરાત પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે.તેમણે મંગળવારે જણાવ્યું હતું કે,આ ‘જુમલા’નહીં, ‘મહાજુમલા’ની સરકાર છે.જોકે,ટીકાનો વળતો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે,રાહુલે સૌથી પહેલાં તેમની સામે કરાયેલા ભ્રષ્ટાચારના ગંભીર આરોપોનો એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ED)ને સાચો જવાબ આપવો જોઇએ.રાહુલે હિંદીમાં ટિ્વટ કર્યું હતું કે,“આઠ વર્ષ પહેલાં દર વર્ષે બે કરોડની રોજગારીના વચનથી યુવાઓ જે રીતે છેતરાયા હતા,અત્યારે પણ એ રીતે ૧૦ લાખ સરકારી નોકરીઓની જાહેરાત કરાઈ છે.”કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાહુલની આ ટિપ્પણી સામે વળતો પ્રહાર કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે,“બધાંએ વડાપ્રધાનની જાહેરાતને આવકારી છે,પણ રાહુલ ગાંધી અન્ય સમસ્યાઓમાં એટલા અટવાયેલા છે કે તે નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી શક્યા નથી.”રાહુલે સૌથી પહેલાં તેમની સામે કરાયેલા ભ્રષ્ટાચારના ગંભીર આરોપોનો EDને સાચો જવાબ આપવો જોઇએ.”

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *