By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પયગંબરના અપમાન મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ચલાવાયું ભારત વિરોધી અભિયાન : હિંદુઓ અને દેશની છબી ખરડવાનો પ્રયાસ : રિપોર્ટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પયગંબરના અપમાન મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ચલાવાયું ભારત વિરોધી અભિયાન : હિંદુઓ અને દેશની છબી ખરડવાનો પ્રયાસ : રિપોર્ટ
GeneralNational

પયગંબરના અપમાન મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ચલાવાયું ભારત વિરોધી અભિયાન : હિંદુઓ અને દેશની છબી ખરડવાનો પ્રયાસ : રિપોર્ટ

HM News
Last updated: 15/08/2022 11:24 AM
HM News
3 years ago
Share
SHARE

– નૂપુર શર્માની ટિપ્પણી બાદ પયગંબર મોહમ્મદના ભાવનાત્મક મુદ્દાનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ખરડવા માટે કરવામાં આવ્યો હતો

ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા ઇસ્લામિક પયગંબર મોહમ્મદ ઉપર કરવામાં આવેલ ટિપ્પણી મામલે વિવાદ થયા બાદ તેમાં દુનિયાના અન્ય ઇસ્લામિક રાષ્ટ્રો પણ કૂદ્યા હતા.જે બાદ આ વિવાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો હતો અને આ દેશોએ ભારતના રાજદૂતોને પણ સમન્સ પાઠવ્યા હતા અને નિવેદનો જારી કર્યા હતા.હવે આ મામલે ખુલાસો થયો છે કે મોહમ્મદ પયગંબરના અપમાનની આડમાં એક પ્રાયોજિત ભારત વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું.

આ અંગે ડિજિટલ ફોરેન્સિક રિસર્ચ એન્ડ એનાલિટિક્સ સેન્ટર (DFRAC) દ્વારા એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે અને જેમાં વિસ્તૃત રીતે ખુલાસો કરવામાં આવ્યો છે કે કઈ રીતે એક અભિયાન ચલાવીને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે નિશાન બનાવવામાં આવ્યું હતું.ઉપરાંત, સોશિયલ મીડિયા પર મુસ્લિમ અને આરબ દેશોમાં ભારતની છબી ખરડવા માટેના પણ પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું ખૂલ્યું છે.

ઇસ્લામના પયગંબર મોહમ્મદના સમર્થન માટે બનાવવામાં આવેલ એક સંગઠનનો આમાં મોટો ફાળો રહ્યો છે.આ સંગઠન તૂર્કીથી ચાલે છે અને જે 50થી વધુ ઉલેમાઓનું બનેલું હોવાનું કહેવાય છે.આ સંગઠનના ટ્રસ્ટી મંડળના એક સભ્યમાં ભારતના શેખ સલમાન હુસૈન અલ હુસૈની અલ નદવીનો પણ સમાવેશ થાય છે,જેની ઉપર ઇસ્લામિક સ્ટેટના પ્રમુખ અબુ બકર અલ-બગદાદીને પત્ર લખીને સમર્થન કરવાનો આરોપ લાગી ચૂક્યો છે.

નૂપુર શર્માની ટિપ્પણી બાદ આ સંગઠન તરફથી ગલ્ફ અને આરબ દેશોમાં ભારત વિરોધી પ્રોપેગેન્ડા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. DFRACનો રિપોર્ટ કહે છે કે શરૂઆતમાં આ અભિયાન પરથી લાગ્યું હતું કે તે પયગંબર મોહમ્મદના સન્માનમાં શરૂ કરવામાં આવ્યું છે.પરંતુ પછીથી સ્પષ્ટ થઇ ગયું કે આ અભિયાન પયગંબરના સન્માનમાં નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને નિશાન બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું.સંગઠનના અધિકારીક ટ્વિટર અકાઉન્ટ પરથી મુસ્લિમ અને આરબ દેશોમાં ભારતની છબી ખરડવા માટે અનેક હૅશટેગ ચલાવવામાં આવ્યા હતા. તેમજ ભારતની બદનામી માટે આ હેશટેગ સાથે ખોટા સમાચારો પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

નૂપુર શર્માની ટિપ્પણી મામલે થયેલા વિવાદ વખતે જ નાસિકમાં એક મુસ્લિમ સૂફી બાબાની હત્યા થઇ ગઈ હતી.જેને લઈને સંગઠનના ટ્વિટર અકાઉન્ટ પરથી ‘હિંદુઓએ મસ્જિદના ઇમામને ટાર્ગેટ કર્યા હોવાના દાવા સાથે ખોટા સમાચાર પ્રસારિત કર્યા હતા.જે પછીથી સામે આવ્યું હતું કે સૂફી બાબાની હત્યા સંપત્તિ વિવાદના કારણે થઇ હતી અને તેમાં કોઈ મજહબી વિવાદ કારણભૂત ન હતો.આ ઉપરાંત સંગઠનના ટ્વિટર અકાઉન્ટ પરથી અન્ય એક વિડીયો પણ શૅર કરવામાં આવ્યો હતો.જેમાં એક બુરખાધારી મહિલા પર કાર ચડી ગઈ હતી,જે અકસ્માત સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો.આ વિડીયો શૅર કરીને હિંદુ વ્યક્તિએ મુસ્લિમ મહિલા પર કાર ચડાવી ફરાર થઇ ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.પરંતુ પછીથી પોલીસે સ્પષ્ટતા કરી હતી કે તે જ કૉલોનીનો એક વ્યક્તિ કાર શીખી રહ્યો હતો અને કાર નિયંત્રણમાંથી બહાર જતી રહેતા મહિલા પર ચડી ગઈ હતી.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરડવા માટે સંગઠને એક ખોટી તસ્વીર શૅર કરી હતી જેમાં રેલવે સ્ટેશન પરના એક બોર્ડ પરનું લખાણ એડિટ કરીને ‘ગો બેક મોદી’ લખવામાં આવ્યું હતું.આ તસ્વીર તમિલનાડુની હોવાનું કહીને સંગઠનના ટ્વિટર અકાઉન્ટ પરથી દાવા કરવામાં આવ્યા હતા.નૂપુર શર્માની ટિપ્પણી મામલે થયેલા વિવાદ બાદ આ અકાઉન્ટ દ્વારા આરબ દેશોમાં ભારત વિરોધી અપપ્રચાર કરવા માટે અનેક હેશટેગ ચલાવવામાં આવ્યા હતા.જેમાં ‘બોયકોટ ઇન્ડિયન એમ્બેસેડર’, ‘બોયકોટ ઇન્ડિયન પ્રોડક્ટ’, ‘એક્ઝિટ હિન્દુઝ’ વગેરે જેવા હેશટેગ ટ્રેન્ડ કરાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત હિંદુઓને આરબ અને ગલ્ફ દેશોમાંથી કાઢી મૂકવાની માંગ સાથે પણ હેશટેગ ચલાવવામાં આવ્યા હતા.માત્ર ટ્વિટર પર જ નહીં,પરંતુ ફેસબુક પર પણ સંગઠનના અકાઉન્ટ થકી આ પ્રોપેગેન્ડા આગળ ધપાવવામાં આવ્યો હતો.આ ઉપરાંત અમુક કિસ્સાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ સીધી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

સમગ્ર વિશ્લેષણને અંતે અહેવાલ જણાવે છે કે, ઇસ્લામિક સંગઠને પયગંબર મોહમ્મદ સબંધિત ભાવનાત્મક મુદ્દાનો ઉપયોગ ભારત વિરોધી એજન્ડા ચલાવવા માટે એક હથિયાર તરીકે કર્યો હતો.જેનો આરબ અને ગલ્ફ દેશોમાં રહેતા-કામ કરતા લાખો ભારતીયોને કાઢી મૂકી ભારતની અર્થવ્યવસ્થાને અસર કરવાનો હતો.

દૂધસાગર ડેરીના વાઈસ ચેરમેન, પૂર્વ MDની ધરપકડ
અમદાવાદ પોલીસનું મોડી રાત્રે 4 કલાકનું મેગા કોમ્બિંગ, તલવારો, પાઇપ, લાકડીઓ મળી, 60 ગુના દાખલ
રમજાન દરમિયાન ઈસ્લામિક જગતમાં થશે મોટી પહેલ : ઈરાન બાદ આ દુશ્મન દેશ સાથે મિત્રતા કરશે સાઉદી અરેબિયા
16 જ મહિનાની બાળકીને દારૃ પીવડાવીને બળાત્કાર કરી હત્યાના કેસમાં માતા-પિતાને ફાંસીની સજા
ગુજરાત ભાજપે શું કોરોનાનાં નિયમો પાળવાનાં નામે નાહી નાખ્યું છે? સંક્રમણ વચ્ચે પણ કોર્પોરેટરોની ધરાર ટિફિન પાર્ટી
Share This Article
Facebook Email Print
Previous Article કોર્પોરેટ કરદાતાઓ માટે ટૂંક સમયમાં સરકાર કરી શકે છે આ જાહેરાત
Next Article 75 વર્ષમાં પહેલી વખત લાલ કિલ્લા પર તિરંગાને ‘મેડ ઈન ઈન્ડિયા’ તોપથી સલામી અપાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up