નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે‘લાઈફસ્ટાઈલ ફોર ધ એન્વાયર્મેન્ટ(LiFE) મૂવમેન્ટ’નામથી વૈશ્વિક પહેલ શરૂ કરી છે અને ભારપૂર્વક કહ્યું છે કે એવી જીવનશૈલી અપનાવવી પડશે જે પૃથ્વીનું જતન કરે અને તેને નુકસાન ન કરે.તેમણે પર્યાવરણને વધુ સારું બનાવવા માટે‘એક પૃથ્વી,અનેક પ્રયાસ’ની વડાપ્રધાનની અપીલ કરી હતી.પીએમ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરતા કહ્યું હતું કે જે લોકો પૃથ્વીનું જતન કરવાની સાથે જીવન જીવે છે તેઓ પૃથ્વીતરફી લોકો છે.મિશન લાઈફ ભૂતકાળમાંથી લઈને વર્તમાનમાં આપે છે અને ભવિષ્ય તરફ તેનું ફોકસ છે.તેમણે આ પ્રસંગે‘એક પૃથ્વી,અનેક પ્રયાસ’નું સૂત્ર આપતા કહ્યું હતું કે પર્યાવરણને વધુ સારું બનાવવા અને વિશ્વની સુખાકારી વધારવા માટે તમામ સહયોગ માટે ભારત તૈયાર છે.તેમણે કહ્યું કે આપણી પૃથ્વી સામેના પડકારો આપણને ખબર છે,જેની સામે માનવકેન્દ્રિત,સામુહિક પ્રયાસોની અને મજબૂત પગલાં લેવાની જરૂર છે.રિડ્યૂસ,રિયુઝ અને રિસાઈકલ એ આપણા જીવનમાં વણાયેલા કન્સેપ્ટ્સ છે. સરક્યૂલર ઈકોનોમી આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો અભિન્ન ભાગ છે.તેમણે કહ્યું કે આપણા દેવી-દેવતાઓ પણ વૃક્ષ અને પ્રાણીઓ સાથે જોડાયેલા છે અને આપણે ત્યાં પ્રકૃતિની પૂજા થાય છે.