નવી દિલ્હી : અફઘાનીસ્તાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયામાં અત્યાર સુધી અફઘાનીસ્તાન પરત આવેલા 146 લોકોમાંથી 2 પોઝીટીવ જાહેર થતા તેઓને દિલ્હીની જયપ્રકાશ નારાયણ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવે છે. આ તમામ 146 ને અમેરિકી અને નાટોના બચાવ ઓપરેશનમાં કાબુલથી કતાર આપવામાં આવ્યા હતા અને ભારતીય વિમાનમાં દિલ્હી પહોંચ્યા હતા.સરકારે ભારતીયોને ઝડપથી પરત લાવી શકાય તે માટે અમેરિકા અને નાટો દેશોના મીશનનો પણ સહયોગ લીધો છે.હજુ ઉગારાયેલા 78 મુસાફરોને પરત લાવવામાં આવી રહ્યા છે.
બીજી તરફ ભારતીય હવાઈ દળના વિમાનમાં 46 અફઘાની-હિન્દુઓ સહિત 75 લોકોને દિલ્હી લવાયા તેની સાથે અફઘાન ગુરુદ્વારામાં રખાયેલી ગુરુગ્રંથ સાહિબની ત્રણ કૃતિઓ પણ સલામત પરત લવાઈ છે.શિખ શ્રદ્ધાળુઓએ આ પ્રતિ માથા પર ઉંચકીને બહાર આવ્યા હતા અને હવે તે દિલ્હીના ગુરુદ્વારામાં સ્થાપીત થશે.બે કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરી અને મુરલીધરન આ પવિત્ર ગ્રંથને આદરથી પહોંચી ગયા હતા અને હવે એક કીર્તન યાત્રા મારફત દિલ્હીના ન્યુ મહાવીનગર ખાતે આ પવિત્ર ગ્રંથને રખાશે.
આ તમામ ભારત પહોંચે છે જયાં ગુરુદ્વારાને તાલીબાનોએ નિશાન બનાવ્યું હતું.ગ્રંથ સાહિબને ફુલોથી સજાયેલી ગાડીમાં લઈ જવાઈ રહે છે અને વિમાની મથકે સેકડો શિખો ગ્રંથ સાહિબને સત્કારવા પહોંચ્યા હતા.જયાં અફઘાન શિખોને મદદ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભાર માનતા બેનર પણ ચમકયા હતા.