પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના સમયે તૃણમૂલ કૉંગ્રેસના અનેક નેતાઓ પાર્ટીનો સાથ છોડીને બીજેપીમાં સામેલ થયા હતા,પરંતુ હવે બીજેપીની હાર બાદ આમાંથી અનેક ઘર વાસપી માટે તલપાપડ છે.ચૂંટણી પરિણામો બાદ સીનિયર નેતા અને મેઘાલય-ત્રિપુરાના પૂર્વ રાજ્યપાલ તથાગત રૉયે આ શક્યતા વ્યક્ત કરી હતી.સાથે જ બીજેપીના 4 નેતાઓ પર અનેક મોટા આરોપ લગાવ્યા હતા.તથાગત રૉયે એક વાતચીતમાં જણાવ્યું કે, મારી શંકા સાચી સાબિત થઈ,મને લાગે છે કે તૃણમૂલથી આવેલા મોટાભાગના લોકો પાછા જતા રહેશે.તેમણે કહ્યું કે, હું જલદી દિલ્હી આવીને સીનિયર લીડરશિપને એ નેતાઓને અક્ષમતાનો સંપૂર્ણ રિપોર્ટ આપીશ, જે ચૂંટણીની જવાબદારી સંભાળી રહ્યા હતા.
ચૂંટણીમાં બીજેપીની હાર બાદથી બીજેપીમાં ઉથલ-પાથલ મચી છે.તૃણમૂલ કૉંગ્રેસથી આવેલા અનેક લોકો હવે પાછા જવાનો રસ્તો શોધી રહ્યા છે.પૂર્વ ધારાસભ્ય સોનાલી ગુહા, ફૂટબોલરથી પોલિટિશિયન બનેલા દિપેંદુ વિશ્વાસે ફરીથી તૃણમૂલ કૉંગ્રેસમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી છે.આ ઉપરાંત અનેક નામો સામે આવી રહ્યા છે.તૃણમૂલ કૉંગ્રેસ નેતાઓનું કહેવું છે કે બીજેપીના લગભગ 8 જીતેલા ધારાસભ્યો અને બીજેપીના કેટલાક સાંસદ પણ તૃણમૂલ કૉંગ્રેસમાં પાછા આવવા ઇચ્છે છે.આમાં મુકુલ રોયનું નામ પણ ચર્ચામાં છે.
તૃણમૂલ કૉંગ્રેસથી આવેલા લોકોના પાછા જવાના મુદ્દા પર બીજેપીના પશ્ચિમ બંગાળ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, લોકશાહીમાં આ ચાલતું રહે છે.કેટલાક લોકો આવે છે અને પછી હાર્યા બાદ જતા રહે છે.કેટલાકને તેમની સિક્યુરિટીની ચિંતા છે અને તેઓ રાજ્યમાં હિંસાની રાજનીતિથી ડરી રહ્યા છે.તેમણે કહ્યું કે, પાર્ટી વધારવા માટે નવા લોકોને પાર્ટીમાં પડે છે.તેઓ જીતી જાત તો ઠીક હોત,જીતી ના શક્યા તો તેમને લાગી રહ્યું છે કે કંઇક ગડબડ થઈ છે.ઘોષે કહ્યું કે, અમારી પાર્ટી અનુશાસિત અને વિચારધારા આધારિત પાર્ટી છે.આવામાં અનેક લોકોને મુશ્કેલી થાય છે.
તથાગત રૉયે જણાવ્યું કે, જેવી યોગ્ય સ્થિતિ બનશે હું દિલ્હી આવીને સીનિયર લીડરશિપને મળીશ.તેમણે કેટલાક સમય પહેલા જ્યારે ટ્વીટ કરીને પાર્ટી પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ,પ્રભારી કૈલાશ વિજયવર્ગીય,શિવ પ્રકાશ અને અરવિંદ મેનન પર અનેક આરોપ લગાવ્યા હતા.ત્યારબાદ તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા