ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હિન્દૂ મંદિર બનાવવા માટે સરકારે મંજૂરી આપી દીધી છે.પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર નવાઝ શરીફે આ મંદિર માટે જગ્યા ફાળવી હતી પરંતુ બાંધકામ દરમિયાન કટ્ટરવાદીઓએ વાંધો લેતા કામ અટકી ગયું હતું.બાદમાં ધાર્મિક બાબતોની કમિટીને નિર્ણય સોંપવામાં આવ્યો હતો.જેણે આવા નિર્માણ સામે ઇસ્લામમાં કોઈ પ્રતિબંધ ન હોવાનું જણાવતા કામ શરૂ કરી દેવાની સરકારે મંજૂરી આપી દીધી છે.
20 હજાર સ્કવેર ફૂટમાં શ્રીકૃષ્ણ મંદિર ઉપરાંત પરિસરની જગ્યામાં સ્મશાન પણ બનાવાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.