પાકિસ્તાનના શેરબજાર પર આંતકવાદી હુમલો

HM News
1 Min Read

કરાચી : પાકિસ્તનના શેરબજારનું સંચાલન કરતી બિલ્ડિંગમાં આતંકવાદી હુમલાની માહિતી બહાર આવી છે.ભારતના સ્ટોક એક્સચેન્જ એટલેકે બોમ્બે સ્ટોક એક્સચેન્જની જેમ પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગમાં સોમવારે આંતકવાદી હુમલો થયો છે.પ્રાથમિક અહેવાલ અનુસાર 4 હાથિયાર ધારી આંતકવાદીઓ સ્ટોક એક્સચેન્જમાં ઘુસ્યા હતા અને ગોળીબાર કર્યો હતો.સામે પક્ષે બિલ્ડિંગની સુરક્ષા માટે તૈનાત પાકિસ્તાનના સુરક્ષાબળોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.ચારમાંથી ત્રણ આંતકવાદી ઠાર મરાયા હોવાનો દાવો પાક્સિતાનની મીડિયા કરી રહી છે.આ ઘટનામાં હાલમાં કુલ 5 લોકોના મોત નિપજ્યાં છે અંદાજે 4થી 5 લોકો ફાયરિંગમાં ઘાયલ થયા હોવાના રીપોર્ટ છે.

સોમવારે કરાચીમાં પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ બિલ્ડિંગ પર ઓછામાં ઓછા ચાર બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો.અહેવાલો મુજબ આતંકી હુમલામાં બે નાગરિકો માર્યા ગયા છે. પાકિસ્તાન પોલીસે જણાવ્યું છે કે ચાર આતંકવાદીઓમાંથી ત્રણ માર્યા ગયા છે.Three terrorists killed at Pakistan Stock Exchange in Karachi

આતંકીઓએ મુખ્ય દરવાજા પર ગ્રેનેડ હુમલો કર્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યા બાદ તે બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો હતો,એમ જીઓ ન્યૂઝે અહેવાલ આપ્યો છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *