By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, પોરબંદરના દરિયાકિનારેથી 35 માછીમારોને બનાવ્યા બંધક
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, પોરબંદરના દરિયાકિનારેથી 35 માછીમારોને બનાવ્યા બંધક
GeneralSaurashtra

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, પોરબંદરના દરિયાકિનારેથી 35 માછીમારોને બનાવ્યા બંધક

HM News
Last updated: 19/03/2021 11:06 AM
HM News
4 years ago
Share
SHARE

પાકિસ્તાન દ્રારા અવારનવાર ભારતીય જળસીમામાં ઘુસીને માછીમારોના અપહરણ કરવામાં આવે છે.જેની સામે માછીમારો અને તેના પરિવારજનોમાં રોષ વધી રહ્યો છે,ત્યારે આ સમયે પાકિસ્તાન મરીન ફોર્સે ભારતીય જળસીમા નજીક પોરબંદરની 6 બોટો સાથે 35 માછીમારોનું અપહરણ કર્યું છે.જો કે હજુ સુધી માછીમારોના નામ અને બોટના નામ જાણી શકાયા નથી.બીજી બાજુ માછીમારોના અપહરણને લઈ માછીમાર સમાજમાં પાકિસ્તાન સામે રોષની લાગણી છવાઇ છે.નોંધનીય છે કે,થોડા દિવસ પહેલા પાકિસ્તાને તેની નાપાક હરકતથી સૌરાષ્ટ્રના 4 બોટ સાથે 24 માછીમારોનું અપહરણ કર્યુ હતું.પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોના અપહરણને કારણે લોકોમાં આક્રોશ ફેલાયો છે.

માછીમાર એસોસિએશનના અગ્રણી મનીષભાઇ લોઢારીએ જણાવ્યું કે, માછીમારો ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહ્યા હતા,તે જ સમયે મરીન ફોર્સ દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.પાકિસ્તાન અવારનવાર અમારા માછીમારોનું અપહરણ કરી રહ્યું છે.તેમણે સરકારને આ સંદર્ભે કોઇ કડક પગલા ભરવાની માંગ કરી છે.માછીમારોના અપહરણથી તેમના પરિવારોની હાલત કફોડી બની છે.

આપને જણાવી દઈએ કે, આજે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા પોરબંદરની 6 બોટ અને 35 માછીમારોના અપહરણ કરાયા છે.ભારતીય જળસીમા નજીક બોટો ફિશિંગ કરી રહી હતી તે દરમિયાન પાક મરીન સિક્યુરીટીની શીપ ત્યાં ધસી આવી હતી અને બંદુકના નાળચે પોરબંદરની 6 બોટ અને તેમાં સવાર આશરે 35 માછીમારોના અપહરણ કર્યા છે અને તમામને કરાચી તરફ લઇ જવામાં આવ્યા છે.કયા લોકોના અપહરણ કરવામાં આવ્યા છે તેના નામ હજુ સુધી સામે આવ્યા નથી.

ડબલ મર્ડરના કેસમાં ગેન્ગસ્ટર છોટા રાજન સહિત 4ને કોર્ટે નિર્દોષ મુક્ત કર્યા
મૂસેવાલ હત્યા માટે શાર્પ શૂટર સંતોષને 3.50 લાખ રુપિયા મળ્યા હતા
ઔરંગા બ્રિજ નજીક કારમાંથી હથિયાર મળી આવ્યા, 6 યુવાનોની ધરપકડ
સુરતની સ્કૂલમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા સાથે ભણાવાઈ રહ્યા છે જીવદયાના પાઠ
ખડગેના નિવેદન પર સંસદમાં ભારે હોબાળો ! ભાજપે કરી માફીની માંગ
Share This Article
Facebook Email Print
Previous Article બલેશ્વર દરગાહની જમીનની તપાસ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા સુરત રેન્જ આઈ.જી રાજકુમાર પાંડિયનને સોંપાઈ
Next Article PM આવાસ યોજના માટે કેન્દ્ર સરકારે ગુજરાતને રૂા.10,121 કરોડનું ભંડોળ આપ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up