By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર : બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી હિન્દુ યુવતીના પહેલેથી જ પરિણીત મુસ્લિમ યુવક સાથે કરાવ્યા લગ્ન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર : બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી હિન્દુ યુવતીના પહેલેથી જ પરિણીત મુસ્લિમ યુવક સાથે કરાવ્યા લગ્ન
GeneralInternationalNational

પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર : બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી હિન્દુ યુવતીના પહેલેથી જ પરિણીત મુસ્લિમ યુવક સાથે કરાવ્યા લગ્ન

HM News
Last updated: 24/08/2020 7:07 AM
HM News
5 years ago
Share
SHARE

પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓને મુસ્લિમ છોકરાઓ સાથે બળજબરી પૂર્વક ધર્મપરિવર્તન કરાવી અને લગ્ન કરવાવવાની ઘટનાઓ વધી રહી છે.તાજેતરમાં જ સિંધ પ્રાંતમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં હિન્દુ છોકરી રામબાઈનું બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરવામાં આવ્યું હતું અને લગ્ન પહેલાથી જ પરિણીત મુસ્લિમ યુવક સાથે કરાવવામાં આવ્યા.

આ મામલામાં એક સુફી ધર્મસ્થાનની મહત્વપૂર્ણ ભૂમિકા હતી.એટલું જ નહીં,અહીંની પોલીસ છોકરીઓનું અપહરણ કરનારાઓ સામે કેસ પણ નોંધી રહી નથી. પાકિસ્તાનની કોર્ટ પણ તેમના પક્ષમાં ચુકાદો આપી રહી છે.આ અગાઉ એક શીખ છોકરી જગજિત કૌર ઉર્ફે આયેશા બીબીને લાહોર હાઇકોર્ટે તેના મુસ્લિમ પતિની મુલાકાત લેવાનો આદેશ આપ્યો હતો.જગજિત છેલ્લા એક વર્ષથી આશ્રયસ્થાનમાં રહેતી હતી.

દક્ષિણ કોરિયાના સિઓલથી આવેલા પાક અધિકારના કાર્યકર્તા રાહત આસ્ટિનએ જણાવ્યું હતું કે,રામ બાઇ પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીરપુર ખાસ જિલ્લાના જાન મુહમ્મદ મારીની રહેવાસી છે,જેને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવી મુસ્લિમમાં લગ્ન કરાવ્યા હતાં.

રામ બાઇને તેમની ઇચ્છા વિરુદ્ધ પીર જાન આગાખાન સરહંડીએ ધર્મપરિવર્તન કરાવ્યું હતું પરિવારે તેનો વિરોધ કર્યો હતો અને ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે દોડી ગયા હતા,પરંતુ પોલીસે ફરિયાદ નોંધાવવાને બદલે ત્યાંથી ભગાડી દીધા હતા.તેઓ કહે છે કે તાજેતરનાં વર્ષોમાં આવી ઘણી ઘટનાઓ બની છે.ઘણી હિન્દુ છોકરીઓને બળજબરીથી પીર જાન આગા ખાન સરહંદીમાં પરિવર્તિત કરવામાં આવી છે.રાહતે કહ્યું કે રામ બાઇના લગ્ન 19 ઓગસ્ટે મોહમ્મદ અબ્દુલ્લા સાથે થયા હતા.તે પહેલાથી જ પરિણીત છે અને સંતાન છે.એટલું જ નહીં,એફિડેવિટ પર યુવતની પણ સહી કરવામાં આવી હતી.જેમાં તેને કહેવામાં આવ્યું કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે.

તેઓ કહે છે કે લાચાર છોકરીઓને પરાણે સહી કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં તેમને કોઈ કાયદાકીય સમસ્યાનો સામનો ન કરવો પડે.રાહત કહે છે કે હવે આ સામાન્ય પદ્ધતિ છે.હિન્દુ અને લઘુમતી છોકરીઓ સાથે બળજબરીથી લગ્ન કરનારા મુસ્લિમો હવે આ જ વિચાર અપનાવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા ધર્મગુરુઓ કે જેઓ હિન્દુ અને ખ્રિસ્તી છોકરીઓને ધર્મ પરિવર્તન કરાવે છે,તેઓ તેમની સાથે જાતીય શોષણ કરે છે.તેઓ તેમને પરિવાર અને પોલીસને સોંપવાને બદલે અપહરણકારોને આશ્રય આપે છે.

હોમઆઈસોલેશનમાં ૯૩ ટકા દર્દી ,અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીનો રેશિયો ૧.૩૫ ટકા થઈ ગયો
પાટલીબદલુ મુકુલ રોયએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં BJPના 25-30 ધારાસભ્યો, બે સાંસદ TMCના સંપર્કમાં
અમેરિકામાં બરફના તોફાને મચાવી તબાહી, 38 લોકોના મોત
વરસાદમાં ધોવાયેલા રસ્તા રિપેર કરવા ૫૪૦ ટન મટીરીયલ વપરાયું
એરપોર્ટ પર દારૃ પીને ધમાલ કરતા યુવક સામે ગુનો દાખલ
Share This Article
Facebook Email Print
Previous Article અદાણી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ૭૪ ટકા હિસ્સો લેશે
Next Article આદિવાસી વર્ષોથી હિન્દુ છે અને રહેવાનો છે,કોઈની તાકાત નથી કે હિંદુ ધર્મથી આદિવાસીઓને અલગ કરી શકે : મનસુખ વસાવા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up