– ધર્મપરિવર્તન માટે જીવલેણ હુમલાની હારમાળા : પાકિસ્તાન હિન્દુ કાઉન્સીલે કરી ફરીયાદ
– ૨૧ હિન્દુ ઘરો સળગાવ્યા : બાળકોને જીવતા જલાવ્યા
કરાંચી : પાકિસ્તાનમાં દલિતો પર થઇ રહેલા અત્યાચાર અને ધર્મપરિવર્તનના દબાણ વચ્ચે ભીલ જાતિના લોકોએ મુકાબલો શરૂ કર્યો છે.ભીલો ધર્મ પરિવર્તનનો અસ્વીકાર કરવા લાગ્યા છે.તો હવે જીવલેણ હુમલાઓ અને ઘર બાળી નાખવાની ઘટનાઓ બની રહી છે.સિંધ વિસ્તારમાં વધી રહેલા ધાર્મિક અત્યાચારો બાબતે સિંધી ફાઉન્ડેશન પણ અવાજ ઉઠાવવા લાગ્યું છે.પાકિસ્તાનના માતીતડી સીંધમાં પોલીસ દ્વારા ભીલ વસ્તી પર સતત ધર્મ પરિવર્તનનું દબાણ કરાઇ રહ્યું છે.તેમની દીકરીઓના અપહરણના બનાવો બન્યા પણ તેમણે પીછેહઠ ન કરતા હવે પોલિસને સાથે રાખીને તેમના ઘરોમાં આગ લગાવી દેવાઇ,ભીલોએ તેનો વિરોધ કર્યો જેમાં ઘણાં ભીલો ઘાયલ થયા.આવી જ રીતે પાકિસ્તાનના રહમ્યારખાં અને સિંધમાં પણ હવે હિંદુઓ પર અત્યાચારના બનાવો જાહેર થઇ રહ્યા છે.વિભીન્ન જમાતો સાથે જોડાયેલા લોકો દલિતોની વસ્તીમાં પહોંચીને તેમનુ ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરી રહ્યા.દર શુક્રવારે દરગાહોમાં કરાતા ધર્મ પરિવર્તનમાં ગરીબ અને કમજોર દલિતો પરીવારોને મજબૂર કરાઇ રહ્યા છે.આવું ન કરનારની સંપત્તિ અને ઘર છીનવવાની સાથે જ તેમની દીકરીઓના અપહરણની ધમકીઓ પણ મળવા લાગી છે.
પાકિસ્તાનમાં વસતા હિન્દૂ,ખ્રિસ્તી ,શીખ સહિતના અલ્પસંખ્યક પરિવારોની 14 થી 25 વર્ષ વયની વચ્ચેની યુવતીઓના અપહરણ કરવા,ધર્માન્તર કરાવવું અને ફરજીયાત નિકાહ કરવા જેવી ગંભીર ઘટનાઓનો સિલસિલો સતત ચાલુ જ છે.દર વર્ષે ઓછામાં ઓછી એક હજાર જેટલી યુવતીઓના અપહરણ થતા હોવા છતાં તેમના પરિવારોને મદદ કરવામાં જાણે કે સરકારને અકિલા કોઈ રસ નથી.પ્રાપ્ત વિગત મુજબ તાજેતરમાં એપ્રિલ માસના છેલ્લા સપ્તાહમાં 14 વર્ષીય ખ્રિસ્તી યુવતી માયરા શાહબાજનું હથિયારો સાથે આવેલા મુસ્લિમ યુવકોએ છડેચોક અપહરણ કર્યું હતું અને હવામાં ગોળીબાર કરી યુવતીને કર્મ બેસાડી નાસી છૂટ્યા હતા તથા તેનું ફરજીયાત ધર્મ પરિવર્તન કરાવી એક યુવકે તેની સાથે નિકાહ કરી લીધા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.પાકિસ્તાનમાં સિંધની સરહદ પાસે થરપારકર વિસ્તારમાં હિન્દુઓના ૨૧ મકાનો સળગાવી દેવાયા છે.બાળકો સહિત કેટલાક લોકોને જીવતા સળગાવ્યા છે.ઘણાની સ્થિતિ ગંભીર છે.