By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાકિસ્તાનમાં હિન્દુઓના મકાનો સહીત બાળકોને પણ જીવતા સળગાવ્યા : 14 વર્ષીય ખ્રિસ્તી યુવતીનું અપહરણ,ધર્માન્તરણ અને નિકાહ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પાકિસ્તાનમાં હિન્દુઓના મકાનો સહીત બાળકોને પણ જીવતા સળગાવ્યા : 14 વર્ષીય ખ્રિસ્તી યુવતીનું અપહરણ,ધર્માન્તરણ અને નિકાહ
GeneralInternationalNational

પાકિસ્તાનમાં હિન્દુઓના મકાનો સહીત બાળકોને પણ જીવતા સળગાવ્યા : 14 વર્ષીય ખ્રિસ્તી યુવતીનું અપહરણ,ધર્માન્તરણ અને નિકાહ

HM News
Last updated: 12/05/2020 10:04 AM
HM News
5 years ago
Share
SHARE

– ધર્મપરિવર્તન માટે જીવલેણ હુમલાની હારમાળા : પાકિસ્‍તાન હિન્‍દુ કાઉન્‍સીલે કરી ફરીયાદ
– ૨૧ હિન્દુ ઘરો સળગાવ્યા : બાળકોને જીવતા જલાવ્યા

કરાંચી : પાકિસ્‍તાનમાં દલિતો પર થઇ રહેલા અત્‍યાચાર અને ધર્મપરિવર્તનના દબાણ વચ્‍ચે ભીલ જાતિના લોકોએ મુકાબલો શરૂ કર્યો છે.ભીલો ધર્મ પરિવર્તનનો અસ્‍વીકાર કરવા લાગ્‍યા છે.તો હવે જીવલેણ હુમલાઓ અને ઘર બાળી નાખવાની ઘટનાઓ બની રહી છે.સિંધ વિસ્‍તારમાં વધી રહેલા ધાર્મિક અત્‍યાચારો બાબતે સિંધી ફાઉન્‍ડેશન પણ અવાજ ઉઠાવવા લાગ્‍યું છે.પાકિસ્‍તાનના માતીતડી સીંધમાં પોલીસ દ્વારા ભીલ વસ્‍તી પર સતત ધર્મ પરિવર્તનનું દબાણ કરાઇ રહ્યું છે.તેમની દીકરીઓના અપહરણના બનાવો બન્‍યા પણ તેમણે પીછેહઠ ન કરતા હવે પોલિસને સાથે રાખીને તેમના ઘરોમાં આગ લગાવી દેવાઇ,ભીલોએ તેનો વિરોધ કર્યો જેમાં ઘણાં ભીલો ઘાયલ થયા.આવી જ રીતે પાકિસ્‍તાનના રહમ્‍યારખાં અને સિંધમાં પણ હવે હિંદુઓ પર અત્‍યાચારના બનાવો જાહેર થઇ રહ્યા છે.વિભીન્‍ન જમાતો સાથે જોડાયેલા લોકો દલિતોની વસ્‍તીમાં પહોંચીને તેમનુ ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરી રહ્યા.દર શુક્રવારે દરગાહોમાં કરાતા ધર્મ પરિવર્તનમાં ગરીબ અને કમજોર દલિતો પરીવારોને મજબૂર કરાઇ રહ્યા છે.આવું ન કરનારની સંપત્તિ અને ઘર છીનવવાની સાથે જ તેમની દીકરીઓના અપહરણની ધમકીઓ પણ મળવા લાગી છે.

પાકિસ્તાનમાં વસતા હિન્દૂ,ખ્રિસ્તી ,શીખ સહિતના અલ્પસંખ્યક પરિવારોની 14 થી 25 વર્ષ વયની વચ્ચેની યુવતીઓના અપહરણ કરવા,ધર્માન્તર કરાવવું અને ફરજીયાત નિકાહ કરવા જેવી ગંભીર ઘટનાઓનો સિલસિલો સતત ચાલુ જ છે.દર વર્ષે ઓછામાં ઓછી એક હજાર જેટલી યુવતીઓના અપહરણ થતા હોવા છતાં તેમના પરિવારોને મદદ કરવામાં જાણે કે સરકારને અકિલા કોઈ રસ નથી.પ્રાપ્ત વિગત મુજબ તાજેતરમાં એપ્રિલ માસના છેલ્લા સપ્તાહમાં 14 વર્ષીય ખ્રિસ્તી યુવતી માયરા શાહબાજનું હથિયારો સાથે આવેલા મુસ્લિમ યુવકોએ છડેચોક અપહરણ કર્યું હતું અને હવામાં ગોળીબાર કરી યુવતીને કર્મ બેસાડી નાસી છૂટ્યા હતા તથા તેનું ફરજીયાત ધર્મ પરિવર્તન કરાવી એક યુવકે તેની સાથે નિકાહ કરી લીધા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.પાકિસ્તાનમાં સિંધની સરહદ પાસે થરપારકર વિસ્તારમાં હિન્દુઓના ૨૧ મકાનો સળગાવી દેવાયા છે.બાળકો સહિત કેટલાક લોકોને જીવતા સળગાવ્યા છે.ઘણાની સ્થિતિ ગંભીર છે.

ટીડીએસ જમા કરાવવાની મુદત 31મે સુધી વધારવા ગુજરાત ચેમ્બરની માગ
હૈદરાબાદની કંપનીએ SBI સહિતની બેન્કોને 4800 કરોડનો ચૂનો લગાવ્યો : CBI દ્વારા તપાસ હાથ ધરાઈ
ટ્રમ્પ-મોદીની મુલાકાતથી અમેરિકાના સાંસદો ગદ્દગદ્દ
પર્યુષણ પર્વને લઇ આગામી 8 દિવસ સુધી રાજ્યમાં કતલખાના બંધ રાખવા આદેશ
વાપીમાં એકસાથે 21 પરિવારે હિન્દુ ધર્મનો કર્યો અંગીકાર, VHP દ્વારા ઘરવાપસીનો કાર્યક્રમ યોજાયો
Share This Article
Facebook Email Print
Previous Article રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત : રાજકોટમાં ઉદ્યોગો ફરી ધમધમતા થશે
Next Article ગુગલ પર ભિખારીની ઇમેજ ધરાવતા ઈમરાન ઉપર ખાંડ કૌભાંડ ધૂણ્‍યુ : 1 અબજના ભ્રષ્ટાચારનો આરોપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up