બેંગ્લુરુ,તા.૨૩
હિન્દુવાદી સંગઠન શ્રીરામ સેનાના એક કાર્યકરે બેંગ્લોરમાં સીએએ વિરોધી રેલીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનાર અમૂલ્યા લિયોનની હત્યા કરવા માટે ૧૦ લાખનુ ઈનામ જાહેર કર્યુ છે.
એક વિડિયો ફૂટેજમાં કાર્યકર સંજીવ મારદી એલાન કરતો નજરે પડે છે કે, જો સરકારે તેને છોડી તો હું તેને જીવતી મારી નાંખીશ. મારદીએ આ એલાન શ્રીરામ સેના દ્વારા બેલ્લારી શહેરમાં આયોજીત એક રેલીમાં કર્યુ હતુ. મારદીએ કહ્યુ હતુ કે, તેની હત્યા કરનારને શ્રી રામ સેના તરફથી અમે ૧૦ લાખ રુપિયાનુ ઈનમ આપીશું.
બીજી તરફ બેલ્લારીના પોલીસ તંત્રનુ કહેવુ છે કે, આવો કોઈ વિડિયો મને જોવા મળ્યો નથી અને આવી કોઈ જાહેરાત થઈ હોવાનુ ધ્યાનમાં નથી. પોલીસ વડા સી કે બાબાએ કહ્યુ હતુ કે, મને પહેલા તો આ અંગે જાણકારી મેળવવા દો.
ઉલ્લેખનીય છે કે, અમુલ્યા લિયોને રેલીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા બાદ લોકોમાં ભારે રોષ ભડકી ઉઠયો છે. તેના ઘરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે તેની સામે રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો છે.
‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવનાર યુવતીની હત્યા કરનારને ૧૦ લાખનુ ઈનામ
Leave a Comment