ઈસ્લામાબાદ, તા. 25 એપ્રિલ 2022 સોમવાર : પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફના સલાહકાર કમર જમાન કાયરાએ કહ્યુ છે કે આગામી એક-બે દિવસમાં બિલાવલ ભુટ્ટો મંત્રી પદના શપથ લેશે અને તેઓ વિદેશ મંત્રાલયની જવાબદારી સંભાળશે.શહબાજ શરીફની કેબિનેટમાં હાલ કોઈ પણ વિદેશ મંત્રી નથી.પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના જ હિના રબ્બાની ખારને વિદેશ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. બિલાવલ ભુટ્ટો લંડનમાં નવાઝ શરીફ સાથે મુલાકાત બાદ પાકિસ્તાન પાછા ફર્યા છે.લંડનમાં બિલાવલ ભુટ્ટોએ નવાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી અને નવાઝ શરીફ દ્વારા આપવામાં આવેલી ઈફ્તાર પાર્ટીમાં પણ સામેલ થયા છે.આ દરમિયાન બંને વચ્ચે પાકિસ્તાનની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર વાતચીત થઈ હતી.પાકિસ્તાન મુસ્લિમ લીગના ઉપાધ્યક્ષ મરિયમ નવાઝએ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર હુમલો કરતા કહ્યુ કે તેઓ જલ્દી ચૂંટણી કરાવવા માટે પાકિસ્તાનના બંધારણીય સંસ્થાનો પર હુમલો કરી રહ્યા છે.
ઈમરાન ખાનની પ્રેસ કોન્ફરન્સ બાદ પોતાની પ્રતિક્રિયા આપવા માટે મરિયમ નવાઝએ ટ્વીટરનો સહારો લીધો.તેમણે ટ્વીટ કરી, સંસ્થાનો પર હુમલા અને ઘેરાવનો બોધ પણ જલ્દી ચૂંટણી કરાવવા માટે દબાણ વધારવાનુ હથિયાર છે.કાન ખોલીને સાંભળી લો, તમારી ગુંડાગર્દી અને ધમકીઓ હવે તમારી પોતાની તબાહીનુ કારણ બનશે.પોતાની સરકાર સંભાળી ના શક્યા, પોતાની પાર્ટી ના સંભાળી શક્યા અને વાતો સાંભળી લો. તમારી રમત હંમેશા માટે ખતમ, ઈંશાઅલ્લાહ.મરિયમ નવાઝએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાનના ચૂંટણી પંચ પર ઈમરાન ખાન એટલા માટે હુમલા કરી રહ્યા છે કેમ કે ઈમરાન ખાન વિરુદ્ધ ગેર-કાયદાકીય ફંડિંગના પાક્કા પુરાવા મળી ચૂક્યા છે.ઈમરાન ખાને કહ્યુ હતુ કે ચૂંટણી પંચે રાજીનામુ આપી દેવુ જોઈએ કેમકે તેમની પાર્ટીને ચૂંટણી પંચ પર ભરોસો નથી.


