બેંગ્લુરુ,તા.૨૪
દેશના જુદા જુદા ભાગોમાં નાગરિકત્વ સુધારણા કાયદાનો વિરોધ થઇ રહ્યો છે. કર્ણાટકના લોકો પણ આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં, સીએએ વિરુદ્ધ કર્ણાટકમાં વિરોધ પ્રદર્શન દરમિયાન, અમૂલ્યા નામની યુવતીએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા, ત્યારબાદ યુવતીનો સતત વિરોધ થઇ રહ્યો છે. દરમિયાન કર્ણાટકના કૃષિ મંત્રી આવા નિવેદન સાથે બહાર આવ્યા છે, જેના કારણે તે હેડલાઇન્સમાં આવી છે. કર્ણાટકના કૃષિ પ્રધાન બી.સી. પાટીલે માંગ કરી છે કે, જે લોકો પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવે છે તેમને ગોળી મારવાનો કાયદો બનાવવામાં આવે.
કર્ણાટકના ચિત્રદુર્ગામાં પત્રકારો સાથે વાત કરતા બી.સી. પાટિલે કહ્યું કે મારું મંતવ્ય છે કે દેશમાં એવા કાયદાની જરૂર છે, જે હેઠળ ભારત વિરુદ્ધ અને પાકિસ્તાનના સમર્થનમાં બોલતા લોકોને ગોળી મારવી જોઇએ. છે. દેશમાં આ કાયદાની સખત જરૂર છે. પાટિલે કહ્યું કે આ લોકો ભારતનું ખાય છે, ભારતનું પાણી પીવે છે, ભારતમાં હવા લે છે, જો તેઓ પાકિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરે છે તો તેઓ અહીં કેમ રહેવા જોઈએ. ચીનમાં લોકો દેશની વિરુદ્ધ બોલતા ડરતા હોય છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે દેશના દેશદ્રોહીઓ સાથેના વ્યવહાર માટે કડક કાયદા લાવવામાં આવે.
પાક.ના સમર્થનમાં નારા લગાવનારે ગોળી મારવાનો કાયદો બનાવામાં આવે
Leave a Comment