– નીતિગત બાબતોમાં દરમિયાનગીરી કરવા કોર્ટનો ઇન્કાર
– ભારતે પાકને વિભાજન વખતે બધુ થઈ 300 કરોડની રકમ આપી હતી
નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે સોમવારે પાકિસ્તાન પાસેથી ભારતે વિભાજન સમયે લેણી નીકળતી રકમ હાલમાં એક લાખ કરોડ થાય છે તેને લગતી જાહેર હિતની અરજી સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. આ અરજીમાં આરોપ મૂકાયો હતો કે કેન્દ્ર સરકાર આ રકમ વસૂલવા કોઈ પગલાં લઈ રહી નથી
મુખ્ય ન્યાયાધીશ વિપિન સાંઘી અને નવી ચાવલાની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે આ સરકારની નીતિગત બાબત છે અને તેથી કોર્ટ આ સંદર્ભમાં કોઈ દિશાનિર્દેશ જારી ન કરી શકે.બેન્ચે જણાવ્યું હતું ેકે સરકારે આ મુદ્દે જાતે જ સુધ લેવી જોઈએ અને તે ઇચ્છે તે પગલાં તેમા લઈ શકે,કોર્ટ તેમા કોઈ દિશાનિર્દેશ જારી ન કરી શકે.
કોર્ટે ઓમ સેહગલની આ પ્રકારની અરજી નકારી કાઢી હતી.આ અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે પાકિસ્તાન ભારત સરકારના નાણાનો જ ઉપયોગ ભારત પર હુમલો કરવા કરી રહ્યુ છે.તેમા કાશ્મીરનો પણ સમાવેશ થાય છે.તેના લીધે કેટલાય ભારતીય સૈનિકોના મોત થયા છે.
કેન્દ્ર સરકાર વતી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) ચેતન શર્માએ જણાવ્યું હતું કે અરજદારની વાત લાગણીસભર છેઅને તેની રીતે તે યોગ્ય છે.પણ આ નીતિગત બાબત છે અને તેથી તે સરકાર પર છોડી દેવી જોઈએ.અરજદારે દસ્તાવેજોને ટાંકીને દાવો કર્યો હતો કે ભારતે પાકિસ્તાનના આઝાદી પૂર્વે અને પછી તે સમયે બધુ થઈ કુલ ૩૦૦ કરોડની રકમ આપી હતી અને આ રકમ આજે વ્યાજસાથે લગભગ એક લાખ કરોડ થાય છે.પાકિસ્તાની ચલણમાં આ રકમ ૨.૫ લાખ કરોડ થાય છે.
તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે તે નાણા મંત્રાલયને આદેશ આપે કે તે પાકિસ્તાન સમક્ષ ઋણની ચૂકવણી અંગે પાકસરકારસાથે વાત કરે.