પાક. મૌલાનાએ કહ્યું- કોરોના વાયરસને યહૂદીઓએ જ પેદા કર્યો છે

HM News
1 Min Read

ઈસ્લામાબાદ : કોરોના વાયરસને લઈને પાકિસ્તાની મૌલાના કૌકબ નૂરાનીના વિચિત્ર દાવા હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.તેમણે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે,કોરોના વાયરસને યહૂદીઓને પેદા કર્યો છે અને હેવ તેની વેક્સીન બનાવી રહ્યા છે.તેમણે તેમના સમર્થકોને અપીલ કરતા જણાવ્યું કે,કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલ સારવાર માટે જવાની જરૂર નથી.

પાકિસ્તાની મૌલાના કૌકબ નૂરાનીએ જણાવ્યું કે,હોસ્પિટલમાં ડોક્ટરોને દર્દીઓને મારવાના નાણાં આપવામાં આવી રહ્યા છે.તેથી જો તમને કોરોનાને ચેપ લાગી જાય તો હોસ્પિટલમાં જવાની જરૂર નથી.જો તમે હોસ્પિટલ જશો તો તમે પાછા નહીં આવો.તમને વેન્ટિલેટર પર મૂકીને મારી નાંખવામાં આવશે, પરિવારના લોકોને પણ મળવા દેતા નથી કેમકે તેઓ જેમની મારી રહ્યા છે તે દુનિયાની સામે આવી જશે.

મૌલાનાએ જણાવ્યું કે,કોરોના યહૂદીઓનું ષડયંત્ર છે કેમકે તેઓ આની વેક્સીન બનાવીને તેમાં એક ચિપ નાંખી રહ્યા છે.જ્યારે તે વેક્સીન મુસ્લિમ કે અન્ય કોઈપણ વ્યક્તિના શરીરમાં જશે તો તેનાથી તેનો સ્વભાવ કન્ટ્રોલ કરી શકાશે.તમે શું કરો,શું વિચારો છો બધુ જ યહૂદીઓને પહેલાથી જ ખબર હશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *