ઇસ્લામાબાદ,તા.૨૪
પાડોશી દેશ પાકિસ્તાનથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાન ખાનની પત્ની બુશરા બીબીના કારણે ૨૦ અધિકારીઓને તેમના પદેથી હટાવવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ પંજાબ પ્રાંતમાં ધર્મસ્થળની મુસાફરી દરમિયાન બુશરા બીબીના નક્કિ પ્રોટોકોલનું પાલન ન કરવાના કારણે આ અધિકારીઓને હટાવવામાં આવ્યા છે. આ મામલે લગભગ ૨૦ સરકારી અધિકારીઓને તેમના પદથી હટાવવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે બુશરા ૨૦ ફેબ્રુઆરીએ તંત્રને માહિતી આપ્યા વિના પંજાબના પાકપટ્ટન જિલ્લામાં આવેલ બાબા ફરીદની દરગાહ પર ગયા હતા.
પંજાબના ઓફાક વિભાગના મુખ્ય પ્રશાસક ગુલઝાર હુસેન શાહે કહ્યું કે જ્યારે બેહેશેટ્ટી દરવાજો તરત ન ખોલ્યો તો તે નારાજ થઈ ગયા. માહિતી મુજબ બેહેશેટ્ટી દરવાજો સ્વર્ગનો દરવાજો હોય છે એમ કહેવાય છે. તેમણે કહ્યું કે પાકપટ્ટન જિલ્લામાં તૈનાત અમુક કર્મચારીઓને ખાતાકીય વહીવટી બાબતોમાં બેદરકારી દાખવાના કારણે સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.
પાક.વડાપ્રધાનની પત્નિને કારણે ૨૦ અધિકારીઓને પદ પરથી હટાવાયા..!!
Leave a Comment