અમદાવાદના સરખેજમાં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બુક વિમોચનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જે બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું તેનું નામ બાબા સાહેબ આંબેડકર હતું અને આ બુક કિશોર મકવાણા દ્વારા લખવામાં આવી છે.આ બુક વિમોચન કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ બુક વિમોચાર કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકર્તાઓને સંબોધન કરતા સમયે તમામ કાર્યકર્તા અને પદાધિકારીઓને એક નવો ટાસ્ક આપ્યો હતો.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી કેટલાક લોકો દ્વારા બાબા સાહેબ આંબેડકરની અવગણના કરવામાં આવી છે.તો કેટલાક દલિત નેતાઓ બાબા સાહેબના નામ પર રાજકારણ કરે છે.પણ નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ બાબા સાહેબ આંબેડકર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.તેમણે ભાજપના કાર્યકર્તાઓને એમ પણ કહ્યું હતું કે, દલિતના ઘરે જઈને માત્ર ફોટો પડાવીને તેને સોશિયલ મીડિયામાં શેર કરવાના બદલે કાર્યકર્તાઓએ આવા દલિત પરિવારના સભ્યોને પોતાના ઘરે જમવા માટે બોલાવવા જોઈએ.દરેક કાર્યકર્તાએ આ આદેશનું ટૂંક સમયમાં જ અમલીકરણ કરવું પડશે.
સી.આર. પાટીલે ભાજપના પદાધિકારીઓ અને ભાજપના કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે, તમે ખરેખર દલિતોને અપનાવવા માગતા હોય તો દરેક પધાધિકારીએ કોઈ દલિત કુટુંબને પોતાના ઘરે જમવા બોલાવવા જોઈએ અને ત્યારબાદ આખો દિવસ તેમની સાથે કાઢવો જોઈએ અને આ પરિવારના બાળકો નાની ગીફ્ટ આપવી.કારણ કે, બાળમાનસ પર આ નાની ગીફ્ટની અસર થતી હોય છે.
સી.આર. પાટીલે એમ પણ જણાવ્યું હતું કે, રાજકોટમાં રહેતા અમારા એક પદાધિકારી દ્વારા આ પ્રકારનું કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે.એટલે હવે મારી દરેક પદાધિકારીઓએ વોર્નિંગ ગણો તો તે અને વિનંતી કહો તો વિનંતી કે તેઓ દલિત કુટુંબને પોતાના ઘરે જમવા માટે બોલાવે.મને વિશ્વાસ છે કે, મારા પદાધિકારીઓ મારી વાતને માનશે. આપણે બાબા સાહેબના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ અને તેમના વિચારોને જીવનમાં ઉતારવા જોઈએ.આજે કેટલાક તત્ત્વો દેશને તોડવાનું કામ કરી રહ્યા છે.તેવા સમયે બાબા સાહેબના વિચારો ખૂબ જ અગત્યના છે.