By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાટીલનો દલિત પ્રેમ : ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે પદાધિકારીઓને નવો ફતવો જારી કર્યો,કહ્યું કે દલિતોને…
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > પાટીલનો દલિત પ્રેમ : ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે પદાધિકારીઓને નવો ફતવો જારી કર્યો,કહ્યું કે દલિતોને…
AhmedabadGeneralPolitics

પાટીલનો દલિત પ્રેમ : ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે પદાધિકારીઓને નવો ફતવો જારી કર્યો,કહ્યું કે દલિતોને…

HM News
Last updated: 23/11/2021 11:55 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદના સરખેજમાં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બુક વિમોચનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જે બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું તેનું નામ બાબા સાહેબ આંબેડકર હતું અને આ બુક કિશોર મકવાણા દ્વારા લખવામાં આવી છે.આ બુક વિમોચન કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ બુક વિમોચાર કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકર્તાઓને સંબોધન કરતા સમયે તમામ કાર્યકર્તા અને પદાધિકારીઓને એક નવો ટાસ્ક આપ્યો હતો.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી કેટલાક લોકો દ્વારા બાબા સાહેબ આંબેડકરની અવગણના કરવામાં આવી છે.તો કેટલાક દલિત નેતાઓ બાબા સાહેબના નામ પર રાજકારણ કરે છે.પણ નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ બાબા સાહેબ આંબેડકર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.તેમણે ભાજપના કાર્યકર્તાઓને એમ પણ કહ્યું હતું કે, દલિતના ઘરે જઈને માત્ર ફોટો પડાવીને તેને સોશિયલ મીડિયામાં શેર કરવાના બદલે કાર્યકર્તાઓએ આવા દલિત પરિવારના સભ્યોને પોતાના ઘરે જમવા માટે બોલાવવા જોઈએ.દરેક કાર્યકર્તાએ આ આદેશનું ટૂંક સમયમાં જ અમલીકરણ કરવું પડશે.

સી.આર. પાટીલે ભાજપના પદાધિકારીઓ અને ભાજપના કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે, તમે ખરેખર દલિતોને અપનાવવા માગતા હોય તો દરેક પધાધિકારીએ કોઈ દલિત કુટુંબને પોતાના ઘરે જમવા બોલાવવા જોઈએ અને ત્યારબાદ આખો દિવસ તેમની સાથે કાઢવો જોઈએ અને આ પરિવારના બાળકો નાની ગીફ્ટ આપવી.કારણ કે, બાળમાનસ પર આ નાની ગીફ્ટની અસર થતી હોય છે.

સી.આર. પાટીલે એમ પણ જણાવ્યું હતું કે, રાજકોટમાં રહેતા અમારા એક પદાધિકારી દ્વારા આ પ્રકારનું કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે.એટલે હવે મારી દરેક પદાધિકારીઓએ વોર્નિંગ ગણો તો તે અને વિનંતી કહો તો વિનંતી કે તેઓ દલિત કુટુંબને પોતાના ઘરે જમવા માટે બોલાવે.મને વિશ્વાસ છે કે, મારા પદાધિકારીઓ મારી વાતને માનશે. આપણે બાબા સાહેબના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ અને તેમના વિચારોને જીવનમાં ઉતારવા જોઈએ.આજે કેટલાક તત્ત્વો દેશને તોડવાનું કામ કરી રહ્યા છે.તેવા સમયે બાબા સાહેબના વિચારો ખૂબ જ અગત્યના છે.

GST કાઉન્સિલે કેસિનો, લોટરી પર 28 ટકા ટેક્સનો નિર્ણય મોકૂફ રાખ્યો
વલસાડ જિલ્લામાં વિશ્વ યોગ દિન અન્વયે કલેકટરનાઅધ્યક્ષ સ્થાને બેઠક મળી
PM સુરક્ષામાં ચૂક : પૂર્વ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિ બનાવી
મુસ્લિમ ભજનિકના મુખેથી રેલાતા ભજનો સાંભળવા હિંદુઓ ઉમટી પડે છે
આ પોલીસબાપ્પા આપી રહ્યા છે સાઇબર ક્રાઇમથી બચવાની ટિપ્સ
Share This Article
Facebook Email Print
Previous Article વલસાડ પોલીસે 2 કરોડના દારૂના જથ્થા પર રોલર ફેરવ્યું
Next Article સુરતના વડોદ ગામમાં વાનમાં પેટ્રોલપંપની બહાર આગ લાગી, ચાલકનો બચાવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up