By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: “પાટીલ સાહેબ, આ કેજરીવાલની ગેરંટી છે, અમે જે કહીએ છીએ તે કરીએ છીએ” કેજરીવાલનો ભાજપ પ્રદેશ અધ્યક્ષને જવાબ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > “પાટીલ સાહેબ, આ કેજરીવાલની ગેરંટી છે, અમે જે કહીએ છીએ તે કરીએ છીએ” કેજરીવાલનો ભાજપ પ્રદેશ અધ્યક્ષને જવાબ
GeneralSurat

“પાટીલ સાહેબ, આ કેજરીવાલની ગેરંટી છે, અમે જે કહીએ છીએ તે કરીએ છીએ” કેજરીવાલનો ભાજપ પ્રદેશ અધ્યક્ષને જવાબ

HM News
Last updated: 21/07/2022 11:17 AM
HM News
3 years ago
Share
SHARE

– કેજરીવાલની જાહેરાત પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું ટ્વીટ
– કેજરીવાલે પાટીલનાં ટ્વીટનો વળતો જવાબ આપ્યો

સુરત : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સત્તા પક્ષ ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષ કામે લાગ્યા છે.ખાસ કરીને આવનારી વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપને કારમી હાર આપવા માટે આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે.જેને લઇને ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.ભાજપ અને આમ આદમી પાર્ટી આકરા પ્રહાર કરતા દેખાય છે.ત્યારે આજે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાટીદારનાં ગઢ ગણાતા સુરતમાં આવ્યા હતા.અહીં તેમણે ગુજરાતની જનતા માટે ખાસ મહત્વની જાહેરાત કરી છે.

આજે સુરતમાં આવેલા અરવિંદ કેજરીવાલ પ્રથમ ગેરંટી સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે.ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત આપશે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે.જ્યારે ગુજરાતની પ્રજાને બે મહિનાની 600 યુનિટની વીજળી મફત મળશે.આ સાથે જ ગુજરાતમાં જ્યાં વીજળી કાપ છે ત્યાં પણ 24 કલાક વીજળી આપવામાં આવશે.તેમજ 31 ડિસેમ્બર 2021 પહેલાંનાં તમામ જૂના બિલ માફ કરવાની જાહેરાત કરી હતી.

કેજરીવાલની આ મહત્વની ત્રણ ગેરંટીને લઇને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કટાક્ષભર્યુ ટ્વીટ કર્યુ હતુ.તેમણે કહ્યુ કે “વચનમ્ કિમ દરિદ્રતા” અર્થાત શા માટે આપણે શબ્દોથી ગરીબ હોઈએ? જેના વળતા જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે પાટીલ સાહેબ, આ કેજરીવાલની ગેરંટી છે.અમે જે કહીએ છીએ તે કરીએ છીએ.જનતાને ફાયદો થઈ રહ્યો છે.ગુજરાતની જનતાનો વિરોધ કેમ કરો છો?

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે.ભાજપને હરાવવા માટે તમામ બનતી કોશીશ કરી રહી છે.જેને લઇને જનતા વચ્ચે જઇને અનેક કાર્યક્રમો કરી રહી છે.આ સાથે જ આજે સુરતમાં આવેલા કેજરીવાલે ગુજરાતની જનતા માટે મહત્વની જાહેરાત કરી હતી જે ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.

સુરત : સૌરાષ્ટ્ર- ઉ.ગુજરાત જવા ૪ લાખ રત્નકલાકારો-વેપારીઓએ ST ટીકીટ બુક કરાવી
સુરતમાં વધુ બે કેસ નોંધાતા રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 146 થઈ, 12ના મોત
સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં બુલડોઝર પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો, કહ્યું પરંતુ નિયમોનું પાલન કરવું જોઈએ
વોકિંગ કરવા નીકળેલા વૃદ્ધને માર મારી લૂંટી લેનાર સામે ફરિયાદ
એક સમયે આનંદી બહેનની નજીક હોવાના કારણે રૂપાણી સરકારમાં થઇ હતી બાદબાકી, અને આજે બન્યા CM
Share This Article
Facebook Email Print
Previous Article પતિ હંમેશા કરતો સેક્સની ડિમાન્ડ,કંટાળેલી પત્નીએ ભેટમાં આપી સેક્સ ડોલ : ₹1 લાખની કિંમત, હવે બંને તેની સાથે પથારીમાં કરે છે મસ્તી !
Next Article સુરતમાં માત્ર રૂ.25 માં આખો દિવસ બસમાં અમર્યાદિત મુસાફરી કરી શકાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up