[weather_data]
Breaking News
TRENDING NEWS

પાલઘરની ટોળાશાહી ઘટના પાછળ કોઈ ધાર્મિક કારણ નથી, તેને ચગાવશો નહીંઃ CM ઉદ્ધવ ઠાકરે

[updated_date] [post_views]

Table of Content

– પાલઘરની ઘટના હિંદુ-મુસ્લિમનો મામલો નથી,અફવા ફેલાવશો તો પગલા લેવાશેઃ ઠાકરે

એજન્સી, પાલઘર

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મોબ લિન્ચિંગની ઘટના ઘટ્યા બાદ ઉદ્ધવ સરકાર નિશાના પર છે.સોમવારના રોજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ મામલે સરકારના વિચારોને જનતા સમક્ષ રજૂ કર્યા છે.મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું કે જે કોઈ પણ દોષિત જણાશે તેમને ઠાકરે સરકાર નહીં છોડે. લોકો આ મામલાને ચગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.નોંધનીય છે કે પાલઘર જિલ્લામાં ગુરૂવારના રોજ ચોર હોવાની શંકામાં ટોળાએ ઢોર માર મારીને ત્રણ જણની હત્યા કરી દીધી હતી.

ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ ઘટના હિંદુ-મુસલમાનના મામલા સાથે સંકળાયેલી નથી.આ મામલે મારી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ ચર્ચા થઈ છે.મેં તેમને પણ સમજાવ્યું છે કે આ ઘટના કોમવાદને સાંકળતી ઘટના નથી.પરંતુ જે લોકો પણ સોશિયલ મીડિયા દ્વારા આગ લગાવવાની અને આ મામલાને ચગાવવાના નાપાક પ્રયત્નો કરી રહ્યા છે તે લોકો પર આકરામાં આકરા પગલા લેવામાં આવશે.

નોંધનીય છે કે પાલઘર પાસેના એક ગામમાં ટોળાશાહી આચરવામાં આવી હતી.જ્યાં ત્રણ લોકોની ઢોર માર મારીને હત્યા કરી દેવામાં આવી છે.આ ત્રણેય પર ચોરીનો આરોપ લગવવામાં આવ્યો હતો.તે સમયે પોલીસકર્મીઓ પણ ત્યાં ઘટનાસ્થળે હાજર જ હતા તેમ છતા તેઓ આ સમગ્ર તમાશો જોતા રહ્યા હતા.રાજ્ય સરકાર તરફથી આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.100થી વધારે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે અન્ય કેટલાક લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે લોકો જ્યારે સુરત જઈ રહ્યા હતા ત્યારે તેમને દાદરા-નગર હવેલીની સીમા પર રોકવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને પરત મોકલી દેવાયા હતા. જો આવું ન થયું હોત તો આ ઘટના ક્યારેય બની જ હોત.પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પાલઘરના જે વિસ્તારમાં આ ઘટના ઘટી હતી તે વિસ્તાર ખૂબ જ ઉજ્જડ અને શાંત વિસ્તાર છે. એવામાં તે ત્રણ લોકો ત્યાંથી ગુજરાત તરફ જવા માટે પસાર થઈ રહ્યા હતા પરંતુ ગામવાળાઓને રાતના સમયે ત્યાંથી પસાર થતા આ લોકોને જોઈને કોઈ મતભેદ સર્જાયો હતો અને તેમના પર ચોરીનો આરોપ લગાવી દઈને તેમના પર હુમલો કર્યો હતો.આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles