By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાલઘર ઘટના પર સાંપ્રદાયિક ટિપ્પણીના કારણે અર્નબ ગોસ્વામીને મુંબઈ પોલીસે મોકલી નોટિસ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પાલઘર ઘટના પર સાંપ્રદાયિક ટિપ્પણીના કારણે અર્નબ ગોસ્વામીને મુંબઈ પોલીસે મોકલી નોટિસ
GeneralNational

પાલઘર ઘટના પર સાંપ્રદાયિક ટિપ્પણીના કારણે અર્નબ ગોસ્વામીને મુંબઈ પોલીસે મોકલી નોટિસ

HM News
Last updated: 14/10/2020 6:33 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : મહારાષ્ટ્ર સરકાર અને અર્નબ ગોસ્વામી વચ્ચે તકરારનો દૌર સતત જારી છે.મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી વિરુદ્ધ મંગળવારે નોટિસ જારી કરી છે.અર્નબ ગોસ્વામી પર પાલઘર લિંચિંગની ઘટના અને બાંદ્રા માઈગ્રેન્ટ્સના રિપોર્ટિંગ દરમિયાન કથિત રીતે સાંપ્રદાયિક ટિપ્પણી કરવાનો આરોપ છે.

અર્નબ વિરુદ્ધ આઈપીસીની કલમ 108 અંતર્ગત નોટિસ મોકલવામાં આવી છે અને તેમને પૂછવામાં આવ્યું છે કે આખરે કેમ નૈ તમારી સાથે સારા વ્યવહારનો કરાર પરત લેવામાં આવે.મુંબઈ પોલીસના અધિકારીએ જણાવ્યું કે,અર્નબ ગોસ્વામીને સ્પિશિયલ એગ્ઝેક્યૂટિવ મેજિસ્ટ્રેટ અને આસિસ્ટેન્ટ કમિશ્નર ઑફ પોલીસ સમક્ષ શુક્રવારે 4 વાગ્યે રજુ થવા માટે કહેવામાં આવ્યું છે.જણાવી દઈએ કે, 21 એપ્રિલે અર્નબ ગોસ્વામીએ પૂછતા હૈ ભારત કાર્યક્રમ દરમિયાન ચર્ચાનું આયોજન કર્યું હતું, આ દરમિયાન તેમણે મહારાષ્ટ્રના પાલઘરમાં બે સંતો તેમજ ડ્રાઈવરની હત્યાના મુદ્દાને ઉઠાવ્યો હતો.આ ચર્ચા હિન્દી ભાષામાં કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન અર્નબ ગોસ્વામી પૂછે છે કે, આ લિંચિંગ હિન્દુ હોવાના કારણે,ભગવા કપડા પહેરવાના કારણે થઈ છે કે નહીં,શું જો પીડિત હિન્દુ ન હોત તો તેઓ ચુપ બેસત.અર્નબને જે નોટિસ મોકલવામાં આવી છે તેમાં આરોપ છે કે,અર્નબની આ ટિપ્પણી દ્વારા હિન્દુ-મુસલમાનમાં સાંપ્રદાયિક તણાવ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.આ શો ના વીડિયો પર પણ યૂટ્યૂબ પર લોકોએ પોતાની તીખી પ્રતીક્રિયા આપી હતી.

ઉલ્લેખનીય છે કે અર્નબ ગોસ્વામી વિરુદ્ધ સામાજિક વૈમનસ્યતાને પ્રોત્સાહન આપવાના કારણે એપ્રિલ માસમાં નાગપુરમાં કેસ નોંધવામાં આવ્યો હતો.તેમના પર આરોપ છે કે તેઓએ પાલઘર લિંચિંગ ઘટના માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતા,આ મામલે પણ તેમના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

મેકિસકોની લાડી અને ભારતનો વર, લોકડાઉનમાં લગ્ન માટે રાતે ખુલી કોર્ટ
ભાજપ કૉર્પોરેટરે ફ્રેન્ડની પત્ની સાથે કરી ‘ગંદી બાત’, મહિલાએ ભરબજારે ધોઈ માર્યો, વીડિયો વાયરલ
લો બોલો ! વેક્સિન મુકવવા બાબતે પતિ-પત્નિમાં થયો ઝગડો , મામલો કોર્ટ સુધી પહોંચ્યો
કર્ણાટક વિધાનસભા માટે ભાજપની તૈયારી! PM મોદી-CM યોગી સહિત સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
એશિયન કુસ્તીમાં ભારતની અંશુ મલિક અને રાધિકાએ સિલ્વર મેડલ જીત્યા
Share This Article
Facebook Email Print
Previous Article ‘સરકારી પૈસે તમે મદરેસામાં કુરાન ભણાવી ન શકો’, આસામના શિક્ષણ પ્રધાનનુ વિવાદાસ્પદ વિધાન
Next Article Nobody Speak : Trials of the Free Press : સમાચારો,મીડિયા ટ્રાયલને નફરત ફેલાવવાનું માધ્યમ બનવા ન જ દેવાય : મામલો સુપ્રીમમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up