નવી દિલ્હી : મહારાષ્ટ્ર સરકાર અને અર્નબ ગોસ્વામી વચ્ચે તકરારનો દૌર સતત જારી છે.મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી વિરુદ્ધ મંગળવારે નોટિસ જારી કરી છે.અર્નબ ગોસ્વામી પર પાલઘર લિંચિંગની ઘટના અને બાંદ્રા માઈગ્રેન્ટ્સના રિપોર્ટિંગ દરમિયાન કથિત રીતે સાંપ્રદાયિક ટિપ્પણી કરવાનો આરોપ છે.
અર્નબ વિરુદ્ધ આઈપીસીની કલમ 108 અંતર્ગત નોટિસ મોકલવામાં આવી છે અને તેમને પૂછવામાં આવ્યું છે કે આખરે કેમ નૈ તમારી સાથે સારા વ્યવહારનો કરાર પરત લેવામાં આવે.મુંબઈ પોલીસના અધિકારીએ જણાવ્યું કે,અર્નબ ગોસ્વામીને સ્પિશિયલ એગ્ઝેક્યૂટિવ મેજિસ્ટ્રેટ અને આસિસ્ટેન્ટ કમિશ્નર ઑફ પોલીસ સમક્ષ શુક્રવારે 4 વાગ્યે રજુ થવા માટે કહેવામાં આવ્યું છે.જણાવી દઈએ કે, 21 એપ્રિલે અર્નબ ગોસ્વામીએ પૂછતા હૈ ભારત કાર્યક્રમ દરમિયાન ચર્ચાનું આયોજન કર્યું હતું, આ દરમિયાન તેમણે મહારાષ્ટ્રના પાલઘરમાં બે સંતો તેમજ ડ્રાઈવરની હત્યાના મુદ્દાને ઉઠાવ્યો હતો.આ ચર્ચા હિન્દી ભાષામાં કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન અર્નબ ગોસ્વામી પૂછે છે કે, આ લિંચિંગ હિન્દુ હોવાના કારણે,ભગવા કપડા પહેરવાના કારણે થઈ છે કે નહીં,શું જો પીડિત હિન્દુ ન હોત તો તેઓ ચુપ બેસત.અર્નબને જે નોટિસ મોકલવામાં આવી છે તેમાં આરોપ છે કે,અર્નબની આ ટિપ્પણી દ્વારા હિન્દુ-મુસલમાનમાં સાંપ્રદાયિક તણાવ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.આ શો ના વીડિયો પર પણ યૂટ્યૂબ પર લોકોએ પોતાની તીખી પ્રતીક્રિયા આપી હતી.
ઉલ્લેખનીય છે કે અર્નબ ગોસ્વામી વિરુદ્ધ સામાજિક વૈમનસ્યતાને પ્રોત્સાહન આપવાના કારણે એપ્રિલ માસમાં નાગપુરમાં કેસ નોંધવામાં આવ્યો હતો.તેમના પર આરોપ છે કે તેઓએ પાલઘર લિંચિંગ ઘટના માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતા,આ મામલે પણ તેમના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.