[weather_data]
Breaking News
TRENDING NEWS

પાલનપુરમાં રસ્તે રઝળતા કાન્હાને યશોદારૂપી માતાનો પ્રેમ મળ્યો

[updated_date] [post_views]

Table of Content

પાલનપુર : પાલનપુરમાં એક બેજવાબદાર માતા નશામાં બેશુદ્ધ રહેતી હતી. જેનું એક માસનું બાળક મરવાનાં વાંકે રસ્તે રજળી રહ્યું હતું.ત્યારે 1098 ચાઈલ્ડ હેલ્પલાઇનનાં મહિલા ટીમ મેમ્બરે આ બાળકની જવાબદારી લઈ પાલનપુર સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં સારવાર અર્થે દાખલ કર્યું છે.જન્માષ્ટમીના એક દિવસ આગળ જ બનેલી ઘટના જાણે રસ્તે રઝળતા કાન્હાને યશોદારૂપી માતાનો પ્રેમ મળ્યો હોય એવી પ્રતિતિ કરાવી જાય છે.

નિ:સંતાન દંપતી શેર માટીની ખોટ માટે પથ્થર એટલા દેવ કરી પૂજતા હોય છે. તો બીજી તરફ જેમને ત્યાં વ્હાલસોયા સંતાનો હોય છે તેવા કેટલાક માતા- પિતાને જાણે કઈ પડી જ હોતી નથી. હૃદય સ્પર્શી એક ઘટના જન્માષ્ટમીના એક દિવસ અગાઉ પાલનપુરમાં બની છે. લાપરવાહ માતાના એક માસના બાળકની જવાબદારી લઈ 1098 ચાઈલ્ડ હેલ્પલાઈનના ટીમ મેમ્બર નેહાબેને સારવાર અર્થે દાખલ કરી રસ્તે રઝળતા કાન્હાને યશોદારૂપી માતાનો પ્રેમ આપ્યો છે. નેહાબેન જોષીએ જણાવ્યું હતું કે,પાલનપુરના કીર્તિસ્તભ વિસ્તારમાં કામદેવ કોમ્પ્લેક્સ નજીક એક મહિલા તેના એક માસના બાળક જોડે નશો કરેલી હાલતમાં બેભાન અવસ્થામાં પડી હતી.સ્થાનિકોના કહેવા પ્રમાણે છેલ્લા ઘણા સમયથી આ મહિલા આ રીતે જ રહે છે. બાળકના પાલન પોષણની કોઈ દરકાર લેતી ન હોવાથી બાળક મરવાનાં વાંકે જીવી રહ્યું છે.આથી સમગ્ર સ્થિતિનો તાગ મેળવી ફરજના ભાગરૂપે નહિ પણ હૃદયથી બાળકને બચાવી લેવાનો નિર્ધાર કર્યો હતો અને સહકર્મી હેતલબેનની મદદથી બાળકને પાલનપુર સિવિલના બાળકોના વિભાગમાં સારવાર અર્થે દાખલ કર્યું છે. આ બાળકની તમામ લીગલ જવાબદારી મેં જ ઊઠાવી કાગળો ઉપર સહી પણ મેં કરી છે.

માતાને સખી વન સ્ટોપ સેન્ટરમાં મુકવામાં આવી

આ બાળકની માતા કે જેના પતિનું નિધન થયું છે.જેનું દાંતા પિયર અને સાસરી રાજસ્થાનના આબુરોડ ખાતે છે.તેણી કાણોદર તેની બહેનને મળવા આવ્યા બાદ છેલ્લા ઘણા સમયથી નીકળી ગઈ હતી.અને નશો કરવાની આદત પડતાં બાળકોને સાચવતી ન હતી.દરમિયાન મંગળવારે 181ના કાઉન્સેલર સરોજબેન તૂરી અને પોલીસ હે. કો. સરોજબેન ચૌહાણે તેણીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મૂકી હતી.

બાળક કુપોષણનો ભોગ બન્યું છે

પાલનપુર સિવિલ હોસ્પિટલના બાળ વિભાગમાં સારવાર લઈ રહેલું એક માસનું બાળક કુપોષણનો ભોગ બન્યું છે.જાણે એક દિવસનું જ હોય એમ શારીરિક રીતે ખૂબ નબળું છે.પેટ ફૂલી ગયું છે.વજન પણ 2 કિલો 800 ગ્રામ છે.જોકે,હવે સમયસર સારવાર શરૂ થતાં તેની તબિયત ધીમે ધીમે સુધરી જશે.તેમ તબીબ જણાવી રહ્યા છે.

સ્વસ્થ થયા બાદ બાળકને ચાઈલ્ડ પ્રોટેક્શન હોમમાં સોંપાશે

બાળકની નાદુરસ્ત તબિયતના કારણે હાલ તો સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયું છે.પરંતુ તે સ્વસ્થ થાય તે પછી સરકારના નીતિ નિયમો મુજબ ચાઈલ્ડ પ્રોટેક્શન હોમમાં સોંપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles