મુંબઈ : રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ રવિવારે પિંપરી ચિંચવડની મુલાકાતે જઈ રહ્યા હતા.ત્યારે ભાજપ અને એનસીપીના કાર્યકર્તા આમને સામને આવ્યા હતા.બન્ને રાજકીય પક્ષના કાર્યકર્તા વચ્ચે અથડામણ થઈ હતી.ભાજપના કાર્યકર્તા દ્વારા નરેન્દ્ર મોદીના નારા લગાવતા હતા.જ્યારે એનસીપીના કાર્યકર્તા નરેન્દ્ર મોદી ચોર હૈ એવા સૂત્રોચ્ચાર કરતા હતા.આથી ત્યાં ભાજપ અને એનસીપીના કાર્યકર્તા વચ્ચે તંગદીલી વ્યાપી અને પરિસ્થિતિ વણસી હતી.આથી પરિસ્થિતિ સંભાળવા કાર્યકર્તા પર લાઠીચાર્જ કર્યો હતો.જેમાં એનસીપીની નગરસેવિકા જખ્મી થયા હતા.
વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ વિકાસના કામના ઉદ્ઘાટન કરવા માટે પિંપરી ચિંચવડ આવ્યા હતા.આ વેળા ભાજપ અને એનસીપીના કાર્યકર્તા એકબીજાના સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.ફડણવીસની કાર પર એક અજ્ઞાાતે ચપ્પલ ફેંક્યા હતા.આ વ્યક્તિ કોણ હતી અને આની શોધ પોલીસ કરી રહી છે.