By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પીરાણા દરગાહ એ વાસ્તવમાં મૂળ હિન્દુઓનું જ ધાર્મિક સ્થાન, ઇમામશાહ ટ્રસ્ટનું હાઇકોર્ટમાં બહુ મહત્વનું સોગંદનામું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > પીરાણા દરગાહ એ વાસ્તવમાં મૂળ હિન્દુઓનું જ ધાર્મિક સ્થાન, ઇમામશાહ ટ્રસ્ટનું હાઇકોર્ટમાં બહુ મહત્વનું સોગંદનામું
AhmedabadGeneral

પીરાણા દરગાહ એ વાસ્તવમાં મૂળ હિન્દુઓનું જ ધાર્મિક સ્થાન, ઇમામશાહ ટ્રસ્ટનું હાઇકોર્ટમાં બહુ મહત્વનું સોગંદનામું

HM News
Last updated: 10/08/2022 9:44 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ,તા.10 ઓગષ્ટ 2022,બુધવાર : પીરાણા પ્રાચીન ઇમામશાહ બાવાની દરગાહ અને તેની ફરતે મુસ્લિમ ધાર્મિક સ્થાનને હિન્દુ ધાર્મિક સ્થાનમાં રુપાંતરણ કરવાની તજવીજ સામે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટમાં ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ તરફથી મહત્વનું સોગંદનામું રજૂ કરી વર્ષો જૂના એક ઠરાવના આધારે દાવો કર્યો હતો કે, વાસ્તવમાં આ મૂળ ધાર્મિક સ્થાન હિન્દુઓનું જ છે.આ ધાર્મિક સ્થાનના ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના અગ્રણીઓ સમાવિષ્ટ છે પરંતુ સંસ્થા હકીકતમાં સતપંથીઓની છે.ટ્રસ્ટ તરફથી રજૂ કરાયેલા સોગંદનામાને રેકર્ડ પર લઇ હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી હતી.

પીરાણા દરગાહની સંસ્થા સતપંથીઓની ; જાહેરહિતની રિટમાં ટ્રસ્ટ દ્વારા સત્ય હકીકતો ઉજાગર કરવાનો પ્રયાસ

ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ તરફથી સોગંદનામાંમાં કેટલીક બહુ મહત્વની સત્ય હકીકતો ઉજાગર કરવાનો પ્રયાસ થયો હતો.ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ તરફથી એડવોકેટ એસ.કે.પટેલે જણાવ્યું હતું કે, પીરાણામાં સ્થિત આ ધાર્મિક સ્થળ પર ૬૦૦ વર્ષ જૂની મસ્જિદ,દરગાહ અને મંદિરો રહેલા છે.આ હિન્દુઓનું જ ધાર્મિક સ્થાન છે.ટ્રસ્ટના મતે, આ મૂળભૂત રીતે મુસ્લિમ સંસ્થા છે તે કહેવું સત્ય નથી.વર્ષ ૧૯૩૯માં નીચલી કોર્ટે જારી કરેલા ચુકાદા મુજબ, મંજૂર કરાયેલી યોજનાના આધારે ટ્રસ્ટ આ દાવો કરે છે.આના આધારે જ ટ્રસ્ટની રચના કરાયેલી છે.જે સૂચવે છે કે, આ પીરાણા મંદિર એ હિન્દુ સતપંથી અથવા તા સત્સંગીઓની સંસ્થા છે.ટ્રસ્ટનું એ પણ સ્પષ્ટ કર્યું કે, સૈયદ ટ્રસ્ટીઓએ આ ધાર્મિક સ્થળને વકફ મિલ્કત જાહેર કરવાની માંગ સાથે ચેરિટી કમિશનરને રજૂઆત કરી હતી.જો કે, તે નકારવામાં આવી હતી.આ હુકમની સામે જિલ્લા કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં પણ અપીલ કરાઇ હતી, તે પણ નામંજૂર થયેલી છે.

મૂળ ઇમામશાહ બાવાએ ગાદીની સ્થાપના કરી ત્યારે પણ સૌથી પહેલા ગાદીપતિ તરીકે બેસાડયા તે પણ હિન્દુ હતા અને અત્યારના ગાદીપતિ પણ હિન્દુ જ છે.ખુદ ઇમામશાહ બાવાએ પોતે જીવ્યા ત્યાં સુધી હિન્દુ ફિલોસોફીનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. તેમણે કયારેય સૈયદ કે અન્ય કોઇને પ્રાધાન્ય આપ્યું જ નથી,જે વાત પણ નોંધનીય છે.પ્રસ્તુત કેસમાં માત્ર નામ જ મુસ્લિમ હોવાથી એવો ભ્રમ છે પરંતુ વાસ્તવમાં સંસ્થા સતપંથીઓની છે. નીચલી કોર્ટ દ્વારા હુકમમાં પણ સ્પષ્ટ થયુ છે કે, આ સંસ્થા સતપંથીઓની છે,તે મુજબ આજે પણ સંસ્થાનો વહીવટ એ યોજના મુજબ જ થાય છે.અગાઉ અરજદાર સુન્ની અવામી ફોરમ દ્વારા કરાયેલી પીઆઇએલમાં એ મતલબની આક્ષેપભરી રજૂઆત કરાઇ હતી કે, પીરાણા સ્થિત ઇમામશાહ બાવાની દરગાહ ૬૦૦ વર્ષ જૂની છે અને ત્યાં મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો દુઆ-બંદગી અને દર્શન માટે આવે છે પરંતુ ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ દ્વારા સંબંધિત સત્તાવાળાઓના મેળાપીપણામાં આ પ્રાચીન દરગાહ અને તેની ફરતેના મુસ્લિમ ધાર્મિક સ્થાનોને હિન્દુ ધાર્મિક સ્થાનમાં પરિવર્તિત કરવાની તજવીજ હાથ ધરાઇ છે, જે અંગે સૈયદ ટ્રસ્ટીઓએ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી પરંતુ પોલીસ તેમની ફરિયાદ નોંધતી નથી.જો કે, દરગાહમાં કોઇપણ પ્રકારના નવા બાંધકામ કે ફરેફાર કરવા સામે અરજદારપક્ષ તરફથી સ્ટે આપવા અગાઉ કરાયેલી માંગણી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

બલેશ્વર નજીકથી સોફામાં ચોરખાનું બનાવી લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો LCBએ ઝડપી ઝડપાયો
સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં પુરવઠા વિભાગનું ચેકિંગ
સુરત : મતગણતરીનું કાઉનડાઉન શરૂ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
જનતા કરફ્યૂઃ રવિવારે 3700 ટ્રેન અને ગોએર, ઇન્ડિગોની લગભગ 1000 ફ્લાઈટ રદ
મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમીની ધૂમ, મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
Share This Article
Facebook Email Print
Previous Article તુવેર અને અડદ દાળમાં મોંઘવારીનો તડકો, દોઢ મહિનામાં ભાવ 15% વધ્યા
Next Article કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો, દિલ્હીની AIIMSમાં દાખલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up