પુણામાં મકાનની અભરાઇનો ભાગ જમી રહેલા યુવાન પર પડતા મોત

HM News
1 Min Read

સુરત : પુણાગામ વિસ્તારમાં સોમવારે રાત્રે રૃમમાં જમવા બેઠેલા એક યુવાન પર અભરાઇ અને દિવાલનો ભાગ પડતા ગંભીર ઈજા થતા મોત થયુ હતુ.ફાયર સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ પુણાગામમાં શિવાજીનગરમાં રહેતો ૨૮ વર્ષીય કર્મરાજ મહાદેવ રાજપૂત અન્ય સાથી કારીગરો સાથે રહેતો હતો.જયારે સોમવારે રાત્રે અન્ય કામદારો કેમ મિત્રો સાથે જમતા હતા.જમ્યા બાદ બે જણા હાથ ધોવા માટે ગયા હતા.ત્યારે એકાએક રૃમની અભરાઇ અમુક ભાગ સાથે ઉપરની દીવાલનો ભાગ કર્મરાજ ઉપર પડયો હતો.

જયારે એક તેનાથી થોડે દૂર બેસેલો હોવાથી બચી ગયો હતો.કર્મરાજને માથામાં ગંભીર ઈજા થતા ઘટના સ્થળે કમકમાર્ટી ભર્યુ મોત નીંપજયુ હતું.આ અંગે ૧૦૮ તથા ફાયર બિગ્રેડ અને પોલીસને જાણ થતા ધટના સ્થળે ધસી ગયા હતા.જોકે પોલીસે કાર્યવાહી કરીને મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા.જયારે કર્મરાજ લેસ પટ્ટીના ખાતામાં કામ કરતો હતો. આ અંગે પુણા પોલીસે તપાસ શરૃ કરી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *