સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને પોતાના વિરુદ્ધ ચાલતા જાતીય સતામણીના કેસ મામલે મોટી રાહત મળી છે. જેમાં આરોપોનો કેસ સુપ્રીમ કોર્ટે બંધ કરી દીધો છે.આ સિવાય અદાલતે વકીલ ઉત્સવ બેંસે વતી ન્યાયપાલિકાને બદનામ કરવાના કાવતરાની તપાસની માંગ કરતી અરજી પણ બંધ કરી દીધી છે.
ન્યાયાધીશ એકે પટનાયકના અહેવાલના આધારે સુપ્રીમ કોર્ટે કેસનો નિકાલ કર્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે,આ કેસને બે વર્ષ થયા છે અને આવા કિસ્સામાં કાવતરાની તપાસ શક્ય નથી.સુપ્રીમ કોર્ટના વકીલ ઉત્સવ બેંસે પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઇ વિરુદ્ધ જાતીય સતામણીના આરોપો પાછળ કાવતરા રચવાનો દાવો કર્યો હતો.આ સંદર્ભે સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે તેમને નોટિસ ફટકારી હતી.કોર્ટે બેંસેને દાખલ કરેલા એફિડેવિટમાં દાવાઓની સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.
બેંસે તેની ફેસબુક પોસ્ટમાં, આ કાવતરાની વાત કરી હતી,તેમાં એમ પણ લખ્યું છે, “લોકોને આ વાત કહેતા પહેલા ઘણા વરિષ્ઠ શુભેચ્છકોએ મને અટકાવ્યો હતો.” શુભેચ્છકોએ મને કહ્યું કે ન્યાયાધીશો જેમની લોબીએ આ ષડયંત્ર રચ્યું છે તે મારી વિરુદ્ધ થશે અને વ્યાપારી ધોરણે મારું નુકસાન કરશે. “

