નવી િદલ્હી : વિશ્વમાં કાચા તેલની કીંમતોમાં તેજી છતાં ભાવ નહીં વધવાને લીધે પેટ્રોલ-ડીઝલ વેચતી ખાનગી ક્ષેત્રની કંપની જિયો-બીપી અને નાયરા એનર્જી જેવી કંપનીઓને ડીઝલના વેચાણ પર પ્રતિ લીટર ~20 થી 25 અને પેટ્રોલ પર ~14 થી 18નું નુકસાન થઈ રહ્યું છે.આ કંપનીઓએ હવે પેટ્રોલિયમ મંત્રાલયને આ અંગે પત્ર લખ્યો છે અને સરકારને એક વ્યવહારિક રોકાણ વાતાવરણ બનાવવા માટે પગલાં ભરવા માંગ કરી છે.ફેડરેશન ઓફ ઈન્ડિયન પેટ્રોલિયમ ઈન્ડસ્ટ્રીએ 10 જૂને પેટ્રોલિયમ મંત્રાલયને પત્ર લખીને કહ્યું કે પેટ્રોલ-ડીઝલના વેચાણ પર નુકસાનથી રિટેલ બિઝનેસમાં રોકાણ અટકી જશે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન પેટ્રોલિયમ ઈન્ડસ્ટ્રી ખાનગી ક્ષેત્રની કંપનીઓ,ઉપરાંત ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઈઓસી),ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (બીપીસીએલ)અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (એચપીસીએલ) ને પોતાના સભ્યો ગણે છે.આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલ અને તેના ઉત્પાદકોની કીંમતો એક દાયકામાં ઉચ્ચત્તમ સ્તરે છે,પરંતુ સરકારી ઈંધણ છૂટક વિક્રેતાઓને પેટ્રોલ અને ડીઝલની કીંમતો ફ્રીજ કરી દીધી છે.સરકારી કંપનીઓેનો છૂટક બજારમાં 90 ટકા હિસ્સો છે,જેનાથી ખાનગી કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે.જેનાથી જિઓ-બીપી,રોસનેફ્ટ સમર્થિત નાયરા એનર્જી અને શેલ કંપનીની સમક્ષ ભાવ વધારવા અથવા પોતાના ગ્રાહકો ગુમાવવાનું સંકટ પેદા થયું છે.
પેટ્રોલ અને ડીઝલ માટે છૂટક બજાર મૂલ્યમાં નવેમ્બર-2021ના આરંભ અને 21 માર્ચ-2022ની વચ્ચે કાચા તેલની કીંમતોમાં વધારો છતા વિક્રમજનક 137 દિવસ સુધી કોઈ વધારો થયો નથી.22 માર્ચ-2022થી છૂટ બજાર મૂલ્યને 14 દિવસોમાં પ્રતિ દિવસ સરેરાશ 80 પૈસા પ્રતિ લીટરના દરથી વધારાયું,જેનાથી પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવોમાં 10 રૂપિયાનો વધારો થયો.એફઆઈપીઆઈના ડાયરેક્ટર જનરલ ગુરમીત સિંહે પત્રમાં લખ્યું કે ખાનગી કંપનીઓને મૂળ ખર્ચથી ઓછા મૂલ્ય પર ઈંધણના વેચાણથી ડીઝલ પર પ્રતિ લીટર 20-25 રૂપિયા અને પેટ્રોલ પર પ્રતિ લીટર~14-18નું નુકસાન થઈ રહ્યું છે.છ એપ્રિલથી ઈંધણના છૂટક બજારમાં ભાવ વધ્યા નથી.

