પ્રદૂષણના લીધે બાળકો જન્મતા પહેલાં શારીરિક રીતે નબળાં થઈ જાય છે

HM News
2 Min Read

ધુમાડાની નજીક રહેવાના લીધે લગભગ 90 ટકા બાળકો અને મહિલાઓનું વજન જન્મ સમયે સામાન્ય કરતાં ઓછું હોય છે

નવી દિલ્હી : શહેરોમાં વધતું પ્રદૂષણ આપણો ફક્ત વર્તમાન જ બગાડી રહ્યું છે તેવું નથી ભવિષ્ય પણ બગાડી રહ્યું છે.પ્રદૂષણના લીધે બાળકો જન્મ લેતા પહેલા જ બીમાર પડવા લાગ્યા છે.આ તથ્ય તાજેતરમાં જ સાયન્ટિફિક જર્નલ એલાઇટમાં છપાયેલા એક રિપોર્ટમાં સામે આવ્યું છે.અહેવાલ મુજબ જંગલમાં આગ લાગતા નીકળતા ધુમાડાના લીધે નજીકમાં રહેતી ગર્ભવતી મહિલાઓના આરોગ્ય પર અસર પડે છે.

આ પ્રકારની તકલીફનો સામનો કરવાના લીધે જન્મતા બાળકો ઓછા વજનના હોય છે.આ અહેવાલમાં ખાસ કરીને નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોમાં ધુમાડાના લીધે બાળકોના આરોગ્ય પર પડતી અસરો અંગે બતાવાયું છે.અહેવાલ મુજબ ધુમાડાની નજીક રહેવાના લીધે લગભગ ૯૦ ટકા બાળકો અને મહિલાઓનું વજન જન્મ દરમિયાન સામાન્ય કરતાં ઓછું રહે છે.અહેવાલમાં જણાવાયા મુજબ જંગલની આગ કે પરાલી જેવા નીકળતા બાયોમાસના લીધે નીકળતો ધુમાડો બાળકો અને મહિલાઓના આરોગ્ય પર અસર કરે છે.

રિસર્ચમાં સામેલ ચીનની પેકિંગ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ સાયન્સના ઇન્સ્ટિટયુટ ઓફ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થમાં પીએચડી વિદ્યાર્થી જિયાજિયાનઘુઇ લી મુજબ જન્મ સમયે ઓછું વજન ધરાવતા બાળકોને સામાન્ય બાળકોની તુલનાએ સમગ્ર જીવન દરમિયાન કેટલાય પ્રકારની માંદગીનો ભય રહે છે.કેટલાય અભ્યાસોમાં સ્પષ્ટ જણાવાયું છે કે ધુમાડાના લીધે બાળકોના ફેફસા અને હૃદય પર ખરાબ અસર પડે છે.અત્યંત સંવેદનશીલ ગર્ભવતી મહિલાઓના આરોગ્ય પર આ પ્રદૂષક તત્વોનો ગંભીર પ્રભાવ પડે છે.

સંશોધકોએ આ માટે 54 ઓછા અને મધ્યમ આવકવાળા દેશોનો અભ્યાસ કર્યો.તેમા મા અને બાળકોના 1,08,137 સમૂહોનો અભ્યાસ કરાયો.આંકડાઓના વિશ્લેષણથી ખબર પડી છે કે એક માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર પાર્ટિકુલેટ મેટરના સંપર્કમાં આવનારી માતાઓના બાળકોના વજનમાં 2.17 ગ્રામનો ઘટાડો નોંધાયો છે.સંશોધકોએ આ ઉપરાંત જોયું કે આગ અને ધુમાડાના સંપર્કમાં આવતી માતાઓના બાળકોનું વજન સામાન્યથી ત્રણ થી બાર ટકા ઓછું નોંધાયું હતું.આમ વાયુ પ્રદૂષણની બાળકો પર અસર સ્પષ્ટ દેખાય છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *